SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીશમું ] ' આ સર્વ દેવસૂરિ ૩૫૫ “ઉપદેશતરંગિણી' તરંગ ૩; આ૦ ગુણાકરની ભક્તા મરસ્તોત્ર કાવ્ય ૩૩ ની ટીકા) શેઠ હેમરાજ શેઠ હેમરાજ માળવાની ધારાનગરીમાં રહેતો હતો. તે ભક્તામરરત્રને અખંડ પાડી હતો, રાજા ભોજે (સં. ૧૦૨૨ થી ૧૧૧૨) એક વાર બ્રાહ્મણની શિખવણીથી શેઠને બાંધીને કૂવામાં નાખે. શેઠ ભક્તામરૌંત્રના જાપના પ્રભાવથી બંધન તોડી કૂવાની બહાર નીકળી આવ્યું. આ જોઈ રાજા પણ ભક્તામર સ્તોત્ર માટે શ્રદ્ધાળુ બ. (-આ૦ ગુણાકરની સં૦ ૧૪૨૬ની ભક્તામર સ્તોત્રટીકા, કાવ્ય ૧-રની વિવૃતિ) ચંડપ મંત્રીવંશ– ૧. ચંડપ–તે પિરવાડ જૈન હતો. તેને ચાંપલદેવી નામે પત્ની હતી. રાજા ભીમદેવને તે ભંડારી હતો. ૨ચંડપ્રસાદ–તે રાજા કર્ણદેવને મંત્રી હતા. તેની પત્નીનું નામ જયશ્રી હતું. તેને શૂર અને સોમ નામના બે પુત્રો હતા. બંને ભાઈઓ રાજા સિદ્ધરાજના મંત્રી હતા. બુદ્ધિશાળી, શૂરવીર અને ધર્મપ્રેમી હતા. ૩. સેમ–તેને સીતાદેવી નામે પત્ની હતી. તે દાની, સગુણ, ગુરુઆજ્ઞાપાલક અને ધર્માત્મા હતો. (જે સવપ્ર, વર્ષ : ૨, પૃ. ૬૭) તે તીર્થકર ભગવંતને દેવ, નાગૅદ્રગચ્છના આ૦ હરિ ભદ્રને ગુરુ તેમજ સિદ્ધરાજ જયસિંહને રાજા માનતો હતે. એ સિવાય બીજાને નમતો નહોતો. તે સિદ્ધરાજને ખજાનચી મંત્રી હતું. તેણે સં. ૧૨૫૪ માં પાટણમાં રાજગચ્છના આ૦ પૂર્ણભદ્ર કે આ વાદિદેવસૂરિના શિષ્ય આ૦ પૂર્ણભદ્ર પાસે “પંચતંત્ર' ગ્રંથને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેણે સં. ૧૨૮૪ માં દેરાસરમાં સ્તંભદાન કર્યું હતું . ૧. (૧) વડગચ્છના આ૦ વાદિદેવસૂરિના શિષ્ય આ૦ પૂર્ણભદ્ર સિં.. ૧૨ ૫૪, સં. ૧૨૮૫ (૨) રાજગ૭ના આ૦ ચંદ્રના શિષ્ય પૂર્ણભદ્ર સિંહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy