SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૦. આ દેવભક–રાજાઓ અને રાણાએ તેમને બહુમાન આપતા હતા. ૧૧. આ ધર્મઘોષ–તેમની પાટે બે આચાર્યો થયા. ૧૨. આ શીલભદ્ર, આ૦ પરિપૂર્ણદેવ. ૧૩. આ. વિજયસેન–તેમણે ભવ પાર્શ્વનાથ પટ્ટને ઉદ્ધાર કરાવ્યો. ૧૪. આ ધર્મદેવ—તેમને દેવી પ્રસન્ન હતાં. તેઓ દેવી મારફત બીજાઓના ત્રણ ભવની વિગત જાણી શકતા હતા. આથી તેઓ ત્રિભવિયા” તરીકે પ્રસિદ્ધ થયા. તેમની શિષ્ય પરંપરા “ત્રિભવિયા શાખા” તરીકે પ્રસિદ્ધિ પામી. તેમણે ગુજરાતના રાજા સારંગદેવને ત્રણ ભ બતાવવાથી તે તથા થરાદના ઘૂઘલ વગેરે તેમના ભક્તો બન્યા. બીજા પણ ઘણું રાજાએ તેમને મળવા આવતા હતા. તેમની કૃપાથી ઘૂઘલ રાણે બન્યો હતો. રાણું ઘઘલે સરસ્વતીમંડપ બનાવ્યું. ૧૫. આર. ધર્મચંદ્ર–તેઓ ચૌદશની પાણીની સ્થાપના ઘણી યુક્તિથી કરી શકતા હતા. રાજા મેખ તેમના ઉપદેશથી સંઘપતિ બજો હતો. તેઓ સં. ૧૩૧૧ માં વિદ્યમાન હતા. * ૧૬. આ ધર્મરત્ન–આ આચાર્ય સુધીની પિમ્પલગચ્છની રચાયેલી ગુરસ્તુતિ સંસ્કૃતમાં (લ૦ ૧૫) મળે છે. - ૧૭. આ ધર્મતિલક–તે પિમ્પલગચ્છના પ્રભાવક હતા. સં. ૧૪૩૭. ૧૮. આ ધર્મસિંહ–તેઓ કવિ હતા. તેમની વાણમાં અમેઘ શક્તિ હતી. તે તથા આ ધર્મપ્રભસૂરિના ઉપદેશથી ગુંદીમાં માટે જિનપ્રાસાદ બન્યો અને અમુક દિવસો માટે અમારિ પળાવવાને નિર્ણય થયે હતો. ૧૯ આર ધર્મપ્રભ–તેઓ શેઠ ધિરરાજ અને પત્ની શ્રીદેવીના પુત્ર હતા. શેઠ પાલ્ડ અને શેઠ પેથડ સોદાગરે તેમને પાટ ૧. આ અરસામાં ત્રણ સારંગદેવ થયા હતા. (૧) સારંગદેવ વાઘેલા સં. ૧૩૩૧ થી ૧૩૫૩. (પ્રક. ૩૫, પૃ. ...) (૨) સારંગદેવ ગોહેલ સં. ૧૫૩૧, (૩) સારંગદેવ ગોહેલ બીજે, કાનાજી ગોહેલને પુત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy