SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ માર્યો ત્યારે તે સાથે હતા. અફઘાનને મહમ્મદ શાહબુદ્દીન ઘોરી સં. ૧૨૩૨-૩૪ માં ગુજરાત પર ચડી આવ્યું અને હાર્યો ત્યારે તેને હરાવવામાં પણ ધારાવર્ષની પૂરી મદદ હતી. જો કે શાહબુદીનના સૂબા કુતબુદીન ઐબકે સં૦ ૧૨૫૪ માં આબૂની તળેટીમાં તેને હરાવ્યું હતું, ત્યારે એબક પાટણ જઈ પાછો ચાલ્યા ગયે હતો. આ રાજાના સમયના ૧૪ શિલાલેખે મળે છે. કછોલીગચ્છના આ૦ ઉદયસિંહે સં. ૧૨૬૩ માં ચંદ્રાવતીમાં આ રાજાની અધ્યક્ષતામાં મંત્રવાદીને હરાવ્યું હતું. આબૂ ઉપર ત્રણ પાડાને એક જ બાણ વડે વીંધતી આ રાજાની સં૦ ૧પ૩૬ ની મૂર્તિ વિદ્યમાન છે. આ રાજાએ સં. ૧૨૪૫ ના ભાદરવા સુદિ ૧ ને બુધવારે આબૂ પહાડના ફીલણી ગામના વશિષ્ઠાશ્રમની રક્ષા માટે શિલાલેખીય હુકમ બહાર પાડ્યો હતો. જે પથ્થર આજે પણ આબુરેડથી પશ્ચિમમાં મંડાર જતી સડક ઉપર વિદ્યમાન છે. તેને ગીગાદેવી અને શૃંગારદેવી નામે બે રાણીઓ હતી. શૃંગારદેવીએ ભઇ પાર્શ્વનાથના દેરાસરના નિભાવ માટે જમીન આપી હતી. (જૂઓ,શ્રી. વિવેશ્વરનાથ રેઉને “આબૂકે પરમાર નામને લેખ) રાણું શૃંગારદેવી નાડેલના મંડલેશ્વર કેલ્ડણ ચૌહાણ (સં. ૧૨૨૧ થી ૧૨૪૯)ની પુત્રી હતી. પીંડવાડા પાસેનું ઝાડેલી તેને કાપડામાં મળ્યું હતું. કામદાર નાગડ તેના તરફથી ત્યાં વહીવટ કરતે હતો. ગઠિયાએ સં૦ ૧૧૩૪ ના વૈશાખ વદિ ૧૩ ને રવિવારે ઝાડોલીના ભ૦ મહાવીરસ્વામીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેનું છ ચેકીવાળું ત્રિકપ્રસાદ દ્વાર બનાવ્યું. તેમાંની બે ચેકીને ખર્ચ મંત્રી નાગડે આપે હતું અને રાણી શુંગારદેવીએ સં. ૧૨૫૫ ના આસો સુદિ ૭ ને બુધવારે ભ૦ મહાવીરસ્વામીની પૂજા માટે મેટી આવકની કૂવાવાળી જમીન ભેટ આપી. (–પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખકઃ ૪૩૦, જે સપ્રન્ટ, ક્રમાંક : ૧૫૮) ૧. ઝાડેલી માટે જુઓ પ્રક. ૪૩, શૃંગાવી' વિશે ટિપ્પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy