SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રિીશમું ] આ ઉદ્યતન સં. ૧૧૯૮ સુધીમાં રુદ્રમાળ સંપૂર્ણ તૈયાર થયો. ઉજ્જૈનમાં એવી રાજાજ્ઞા હતી કે, મહાકાલના મંદિરની ધ્વજા ફરકે ત્યારે બીજાં મંદિરની ધજા ફરકાવી ન શકાય, તેમ રાજા સિદ્ધરાજે પણ રુદ્રમાળને મહાકાલની હાડમાં મૂકવાની ઈચ્છાથી રુદ્રમાળની ધજા ચડાવી ત્યારે દરેક જેન-અજૈન મંદિરની ધજા ઉતરાવી હતી. સિદ્ધરાજ શૈવધર્મી હતો છતાં તેના દિલમાં જેનધર્મ પ્રત્યે ઘણે પ્રેમ હતે. અહિંસા, ત્યાગ, તપ, પરોપકાર અને સરસ્વતીની મૂર્તિ સમા જૈનાચાર્યોને સાત્ત્વિક પ્રભાવ તથા જૈનેની રાજવફાદારીની સબળ અસર હતી, એટલે એ નવું શાસન નભી શકયું નહીં. એક તરફ શ્રીપુરમાં બ્રહ્માજી તથા ભ૦ ઋષભદેવના મંદિરની ધ્વજા ઊતરી જ ન હતી. બીજી તરફ પોતે સિદ્ધરાજે પણ આ૦ હેમચંદ્ર તથા આ૦ વીરસૂરિના ઉપદેશથી ઘણું દેરાસરો પર ધ્વજા ફરકતી કરાવી હતી. એટલે દરેક જૈનમંદિર પર સમય જતાં ધીરે ધીરે ધ્વજા ફરકવા લાગી. (જૂઓ, ન્યાયકંદલીપંજિકા-પ્રશસ્તિ, સં. ૧૩૮૫) સિદ્ધરાજે જેમ સરસ્વતીના કિનારે રુદ્રમહાલય બંધાવ્યું તેમ, ભ૦ મહાવીરનું દેરાસર પણ બંધાવ્યું. (જૂઓ, દ્વયાશ્રયકાવ્ય, સર્ગ : ૧૫, લે૧૬) સિદ્ધપુરમાં વીશ દેરીઓવાળો સિદ્ધવિહાર તથા તીસ સહસ ધજદંડ, કલશ દશ સહસ સુવન્નય; છપન કેડિ ગયા તુરિય, લગ તીણુઈ મહાલય, કવિ ગદ્ સદ્ધિ ઈમ ઉચ્ચરઈ સુર નર રોમચિય સવઈ, સુપરસિદ્ધ જયસિંહ કિત્તિ, ટમમમ ચાહઈ ચક્રવઈ ” સિદ્ધરાજે આ કવિત બનાવનારને દર અક્ષરે એકેક સેને આપો. . (જુઓ, ઉપદેશસાર, સં. ૧૬૬૨) तत्पुत्र माता मीनलदेवी जात सिद्धराज जयसिंहदेव वर्ष ४९ राज्यम् । तन्मध्ये सहस्रलिङ्गसरोवरनिष्पत्तिः करावतां वर्ष ३०, मास ५, दिन १० लागा। सं० ११९८ रुद्रमाल निपजाविउ वर्ष ३५, मास ४, दिन १० लागा। पुत्र ન ટુ ! (જુઓ, ધર્મસાગરગણિ શિષ્ય પં. વિનયસાગર કૃત “ગૂર્જરદેશ રાજાવલી' સં. ૧૬પ૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy