SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીસમું ! આ ઉદ્યોતનસૂરિ ૯ રાત પર હુમલો કર્યો હતે. મહામાત્ય શાંતૂએ તે સમજે એવી યુક્તિથી સમજાવી તેને પાછો વાળ્યો હતો. આ દરમિયાન માતા મીનલદેવી મરણ પામી હતી. સિદ્ધરાજે સં૦ ૧૧૦ માં મંત્રી મુંજાલને સંધિપાલ બનાવી ધારા મેક. મંત્રી આલિગને પાટણની રક્ષાને ભાર મેં અને પિોતે મહામાત્ય શાંતુ, નાડેલને સામંત આશરાજ ચૌહાણ, કિરાડુનો સામંત ઉદયરાજ વગેરેને સાથે લઈ માળવા તરફ રવાના થશે. ગોધરાના ભીલએ તેની સામે લડવાને મેર ગોઠવ્યું હતું. મંત્રી શાંતુ મહેતાએ આસપાસના ગામનું સૈન્ય એકઠું કરી ભીલોને નસાડ્યા. રાજા સિદ્ધરાજે સીપ્રા નદીના કિનારે પડાવ નાખે. માળવાને જીત મુશ્કેલ હતા. એક દિવસે મંત્રી મુંજાલના સંકેત પ્રમાણે યશઃ૫ટહ હાથી દ્વારા દક્ષિણ દરવાજો તોડી ધારામાં પ્રવેશ કર્યો. તે દરમિયાન રાજા યશોવર્મા મરી ગયે (સં. ૧૧૯૦). યશોવર્માને સર્વ પરિવારને પકડી કેદ કર્યો. મેવાડ માળવાના શાસનમાં હતો એટલે તે સિદ્ધરાજના શાસનમાં આવી ગયું. મહોબકને રાજા મદનવર્મા અત્યંત સમૃદ્ધ અને વિલાસી હતો. સિદ્ધરાજ યુદ્ધમાં રખડતે હતો, તેથી સિદ્ધરાજને તે “કબાડી” કહેતો હતો. સિદ્ધરાજે મહેબક પર ચડાઈ કરી, ત્યાંથી ૯૬ કરોડ નૈયા દંડમાં લીધા અને મદનવર્મા સાથે મૈત્રીસંબંધ બાંધ્યું. સિદ્ધરાજે સં૦ ૧૧૯૩ માં હાથીને હદે બેસી ધામધૂમથી પાટણ માં પ્રવેશ કર્યો. તેની ઈચ્છા હતી કે, રાજા યશોવર્માને ખુલ્લી તરવાર આપી છડીદાર તરીકે હાથીની અંબાડીમાં પિતાની પાછળ બેસાડ, પરંતુ સંધિપાલ મુંજાલના કહેવાથી રાળ પડેલી બનાવટી કટાર આપી તેને એ રીતે બેસાડ્યો. આ સમયે આ૦ વરસૂરિ, આ૦ હેમચંદ્રસૂરિ વગેરેએ રાજાને ૧. “પ્રબંધાવલી માં મહાબકનું નામ કાંતિપુરી આપેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy