SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવીસમું ] આ માનવસરિ (બીજ) ૪૪૭ છે. આ સમયમાં યુગપ્રધાન આ હારિલસૂરિ અને ગુ. પ્ર. જિનભદ્રગણી ક્ષમાશ્રમણ થયા છે, તેઓને પરિચય યુગપ્રધાન પટ્ટાવલી (પૃ. ૧૭, ૧૯૪)માં આવે છે. આ. હારિભસૂરિ જેમનાં બીજાં નામે હરિગુણસૂરિ તથા હરિભદ્રસૂરિ છે, તેમનાથી વીર સં. ૧૦૫૫ થી હારિવંશ નીકળ્યો છે, જે પાછળથી કૃષ્ણર્ષિગરછ તરીકે પ્રસિદ્ધ થયે છે. (જુઓઃ પ્ર. ૩૨ મું) મહાન ગ્રંથનિર્માતા આ. હરિભસૂરિ પણ આ સમયે થયા છે એમ અનેક ઉલ્લેખ મળે છે પરંતુ તેમના સમયમાં મતભેદ હોવાથી અમે તેઓને ત્રીજા માનદેવસૂરિના સમયમાં મૂક્યા છે. . (જુઓ: પ્ર. ૩૧મું) હારિલવંશ-પટ્ટાવલી ૧. આ હરિગુપ્તસૂરિ-યુગપ્રધાન પટ્ટાવલીમાં “આ. હારિલસૂરિનું નામ મળે છે. તેમના વીર સં. ૯૪૩ અથવા લ્ય૩માં જન્મ, વી. સં. ૯૭૦માં દીક્ષા, વી. સં. ૧૦૦૦માં યુપ્રધાનપદ અને વી. સં. ૧૦૫૫માં સ્વર્ગગમન થયેલ છે. તેઓ રહ્મા યુગપ્રધાન છે. આ. હારિલસૂરિનું બીજું નામ હરિગુપ્તસૂરિ અને “વિચારશ્રેણું” પ્રમાણે ત્રીજું નામ અ. હરિભદ્રસૂરિ હોય એમ લાગે છે. આ મેરૂતુંગસૂરિ તેમના માટે લખે છે કે – पंचसए पंचसीए, विक्कमकालामो झत्ति अथमिओ। हरिभद्रसूरिसूरो, भविआणं दिसउ कल्लाणं ॥ ततो जिनभद्रक्षमाश्रमणः ६५ । (विचारश्रेणी) આ૦ હરિભદ્રસૂરિ વિ. સં. ૧૮પમાં સ્વર્ગે પધાર્યા, તેઓ ભાવિકેનું કલ્યાણ કરે. ત્યાર પછી આ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણું થયા, જેમને યુગપ્રધાન કાળ ૬૫ વર્ષને છે. . જો કે આ ગાથા યાકિનીમહત્તરાસૂનુ આ૦ શ્રીહરિભદ્રસૂરિના સ્વર્ગગમન માટે વપરાય છે પરંતુ આ ગાથા આ૦ હારિલસૂરિને અંગે હય, અને લેખકના હાથે હરિગુપ્તને સ્થાને હરિભદ્ર લખાયું હોય, એ વધુ સંભવિત છે. આ હરિલનું સ્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy