SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ જૈન પરંપરાનો ઇતિહાસ પ્રિકરણ ભક્ત બનાવ્યા. એકવાર ઈરાનના શહેનશાહે ગુસ્સામાં આવીને પિતાના તાબાના ૯૬ શાહીઓનાં માથાં મંગાવ્યાંસૂરિજીને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે એ દરેકને બચવું હોય તે હિંદુસ્તાન આવવા જણાવ્યું, તેઓ પોતપોતાના કાફલો લઈને સમુદ્રમાણે વહાણ દ્વારા રવાના થઈ સૌરાષ્ટ્રના કિનારે આવી ઊતર્યા. તેઓએ પ્રથમ સૌરાષ્ટ્ર જીત્યું અને પછી એથે વર્ષે ભરૂચના રાજાને સહકાર સાધી લાટના રસ્તે થઈ ઉજજેન ઉપર હલ્લો કર્યો. ગદલિલ રાજા ગદભાવિદ્યાના અભિમાનથી નચિંત હતે. એને એમ હતું કે મારી ગર્દભીવિદ્યાથી એને અવાજ જ્યાં જ્યાં સંભળાશે, ત્યાં ત્યાં બધાય મૃત્યુ પામશે. કાલિકાચાર્યજીને આ વિદ્યાની ખબર હતી તેથી તેમણે જયારે રાજા વિદ્યા સાધીને કિલા ઉપર ઉભો રહી જે અવાજ કરવા તૈયાર થાય છે કે તરત જ લયવેધી બાણ ફેંકનાર ૧૦૮ ધનુર્ધારીઓના ૧૦૮ આથી રાજાનું મ પુરાવી દીધું. આથી રાજાની વિદ્યા ચાલી ગઈ. આખરે ઘેર યુદ્ધ થયું, રાજા હાર્યો, મરાયો અને શાહી રાજાઓ ઉજજેનીના માલિક બન્યા. પછી તે ટૂંક મુદતમાં જ આ શ્રી કાલિકાચાર્યને ભાણેજ રાજા બલમિત્ર અને ભાનુમિત્ર એ શાહીઓને હરાવી અવન્તિપતિ બન્યા છે. આ બલમિત્ર–ભાનુમિત્ર એ જ પ્રસિદ્ધ વિક્રમ સંવત પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય. આ કાલિકાચા- પિતાની બહેન સાધ્વીજીને છોડાવ્યાં. અને પ્રાયશ્ચિત્ત આપીને શુદ્ધ કર્યો. ચેથનું સંવત્સરી મહાપર્વ આ કાલકસૂરિ એકવાર ઉજજેની કે ભરૂચમાં ચોમાસું હતા. તેમણે રાજા બલમિત્રની બહેન ભાનુશ્રીના પુત્ર મલભાનુને દીક્ષા આપી હતી. આથી રાજાને આચાર્યદેવ ઉપર કંઈક અપ્રીતિ થઈ. બીજી તરફ રાજપુરોહિત ધમષી હતા, તે આચાર્યશ્રીના તેજને સહી શક્યો નહીં, આથી આચાર્યશ્રીને તે દ્વેષ કરવા લાગ્યો. તેણે પ્રથમ તે એવી વ્યવસ્થા કરી કે જેનમુનિઓને નિર્દોષ આહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy