SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ ] આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૨૫ પ્રાચીન નામ પડ્રવર્ધન છે. ઈતિહાસ કહે છે કે, અંતિમ કૃતકેવળી આ૦ શ્રીભદ્રબાહુસ્વામીના શિષ્ય ગદાસને મુનિગણ અહીં વિચરતા હતા. તેની ત્રીજી શાખા પણ પાંડવઈનિકા નામથી પ્રસિદ્ધ છે. પહાડપુરનો પ્રાચીન ટીલો ખોદતાં તેમાંથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. તેમાં લખ્યું છે કે, ગુપ્ત સંવત ૧૫૯ માં વટગોહલી ગામના એક બ્રાહ્મણદંપતીએ નિગ્રન્થ વિહારની પૂજા માટે ભૂમિદાન કર્યું. (મોડને રીવ્યુ' ઓગષ્ટ સને ૧૯૩૨, પૃષ્ઠ: ૧૫૦) આ ગુપ્ત સંવત તે મૌર્ય ચંદ્રગુપ્તને લાગે છે, જેનું બીજું નામ મૌસંવત છે. સાંચીતૂપ, ભુવનેશ્વરસૂપ અને પહાડપુરતૂપમાં ઘણું સામ્યતા છે, કેમકે એ ત્રણે જેનÚપે છે. માળવાની ગુફાઓ : ઉદયગિરિ-વિદિશાથી ૪ માઈલ પર ઉદયગિરિમાં ૨૦ ગુફાઓ બની હતી. જે પૈકીની પહેલી અને છેલ્લી ગુફાઓ તે આજે પણ જેનગુફાઓ તરીકે ઓળખાય છે. વસમી ગુફામાં આર્યભ શાખાના મુનિ શંકરભદ્ર ગુપ્ત સં. ૧૦૬ માં ભ૦ પાશ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી, જેને શિલાલેખ આજે પણ મળે છે. (શિલાલેખ માટે જુએ ગત પૃષ્ઠ ૭૭) ધુમનાર-બુંદીથી કેટા જતાં વચમાં વારોલી, ધુમનારની પહાડી, ચંબલ નદી, અને ઝાલાપટ્ટન–ચંદ્રાવતી વગેરે સ્થાન આવે છે. ધુમનારની પહાડીને વ્યાસ દેઢક ટેશન છે. ઊંચાઈ ૧૪૦ ફીટની છે, ઉપર સપાટ ભાગ છે, ચારે બાજુ કુદરતી કોટ બને છે, જે કોર્ટમાં લગભગ ૧૭૦ ગુફાઓ છે. જો કે તેમાં આજકાલ બાવાએ રહે છે, નાનાં મોટાં મંદિરો અને ચતુર્ભુજ વિષ્ણુ, મહાદેવ વગેરેની મૂતિઓ છે. કેઈ કઈ ગુફાઓમાં તે ઊભી અને બેઠી જૈન મૂતિઓ તથા બૌદ્ધ સ્મૃતિ એ પણ છે. ચંબલ નદી તરફની ગુફા તે જૈન ગુફા છે. તેના સ્તંભેમાં જેન કારીગરી વિદ્યમાન છે. અહીં ભગવાન રાષભદેવ, શાંતિનાથ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy