SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. મૂળકારનો પરિચય સુધર્માસ્વામીએ બાળક, સ્ત્રી, મૂઢ અને ભૂખ લોકેના અનુગ્રહ કરવાની ખાતર પ્રાકૃત ભાષામાં ગૂંથ્યાં છે. એ પ્રાકૃત ભાષા ઉપર તમારે અનાદર કેમ ઘટે ? ” વધારામાં આગેવાનોએ દિવાકરને કહ્યું કે, “તમે પ્રાકૃત આગમને સંસ્કૃત ભાષામાં ઉતારવાના વિચાર અને વચનથી બહુ દૂષિત થયા છે. સ્થવિરે (શાસ્ત્રાવૃદ્ધ વિદ્વાને) આ દોષનું શાસ્ત્ર દ્વારા પ્રાયશ્ચિત્ત જાણે છે” સ્થવિરેએ કહ્યું કે, “આ દોષની શુદ્ધિ માટે પારાંચિક પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. તેમાં જેન વેશ છુપાવી, ગચ્છને ત્યાગ કરી, બાર વરસ સુધી દુષ્કર તપ કરવાનું હોય છે. એવા પારસંચિક પ્રાયશ્ચિત્ત વિના આવા મહાન દોષની શુદ્ધિ કદી જ થઈ ન શકે. અલબત્ત, જે બાર વર્ષની અંદર પણ શાસનની કઈ મહાન પ્રભાવના કરવામાં આવે, તો મુદત પૂરી થયા પહેલાં પણ પિતાના અસલી પદ ઉપર લઈ શકાય.” સ્થવિરેનું આ પ્રાયશ્ચિત્તવિધાન સાંભળી સરળ સ્વભાવી દિવાકરે સંઘને પૂછી પોતાનું સાધુપદ ગુપ્ત રાખી ગચ્છને છોડી દીધું. આ સ્થિતિમાં ફરતાં તેમને સાત વર્ષ ચાલ્યાં ગયાં. દરમિયાન તેઓ ક્યારેક ઉજ્જયિની નગરીમાં આવી ચડ્યા. તેમણે રાજમંદિરને દરવાજે પહોંચી દરવાનને કહ્યું કે, “જ, તું રાજાને મારી તરફથી આ પ્રમાણે કહેઃ " दिदृक्षुभिक्षुरायातो वारितो द्वारि तिष्ठति । हस्तन्यस्तचतुःश्लोकः किमागच्छतु गच्छतु ? ॥ १२४ ॥ “હાથમાં ચાર શ્લોકે લઈ એક ભિક્ષુ તમારા દર્શનની ઇચ્છાથી આવેલ છે અને દરવાનોએ રકવાથી દરવાજા ઉપર ઊભે છે. કહે કે તે આવે અગર જાય ?” આ સાંભળી ગુણ પક્ષપાતી રાજાએ દિવાકરને લાવ્યા; અને દિવાકરે રાજસમત આસન ઉપર બેસી આ ચાર લેકે ૩૮ કહ્યા:૩૮. “પૂર્વે ઘવચા મવતા શિક્ષિત યુતિઃ | मार्गणौघः समभ्येति गुणो याति दिगन्तरम् ॥१२६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy