SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ ધરાવણ , તીય કાંડઃ ૬૯ તે જ તે ફળસાધક બને, અન્યથા નહિ. આ બાબતમાં અંધ-પંગુન્યાય પ્રસિદ્ધ છે. [૬૮] ઉપસંહારમાં જિનવચનની કુશળકામના– भई मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।। ६६ ।। મિથ્યાદર્શનના સમૂહરૂપ, અમૃત (અમરપણું) આપનાર અને મુમુક્ષુઓ વડે અનાયાસથી સમજી શકાય એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર હ. [૬] અહીં જિનવચનની કુશળકામના કરતાં ગ્રંથકારે એને ત્રણ વિશેષ આપ્યાં છે: ૧. મિથ્યાદર્શનના સમૂહમય એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે, જેનદર્શનની ખૂબી કે વિશેષતા, છૂટી છૂટી અને એકબીજીને અવગણતી હેઈટી કરતી અનેક વિચારસરણીઓને યોગ્ય રીતે ગોઠવી, તેમની ઉપગિતા સાધવામાં જ છે. ૨. સંવિગ્નસુખાધિગમ્ય એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે, જૈનદર્શન એ અનેક પરસ્પર વિરોધી દષ્ટિઓને સમુચિત સરવાળો હેઈ, ગમે તેટલું જટિલ હોવા છતાં પણ એ મુમુક્ષતટસ્થ માટે વગર મહેનતે સમજી શકાય તેવું છે. એને સમજવાને અધિકાર લેશશાંતિ (મુમુક્ષપણા)માં રહે છે. ૩. અમૃતસાર એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે, જેમાં મધ્યસ્થપણું કેન્દ્રસ્થાને છે અને તેથી જે મધ્યસ્થ વડે જ સમજી શકાય તેવું છે, તે જિનવચન લેશને નાશ કરવા દ્વારા અમરપણું મેળવી આપવાની, જે અધિકારી ‘ઉપગ કરવા ધારે તે, શક્તિ ધરાવે છે. આ ત્રણે વિશેષણોને લીધે જ એની પૂજ્યતા છે. [૬૯] - તૃતીય કાંડ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy