SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ ૩૦૪ તેવા પદાર્થીનું નિરૂપણુ કરનાર શાસ્ત્ર તે અહેતુવાદ; અને જે પદાર્થોને આપણા જેવા સાધારણ મનુષ્યેા પ્રત્યક્ષથી જાણી શકે કે અનુમાનથી સાધી શકે, અગર તો જેને સ્વીકારવામાં આગમ ઉપર વિશ્વાસ 3ળવવાની જરૂર નથી રહેતી, તેવા પદાર્થનું નિરૂપણુ કરનાર શાસ્ત્ર તે હેતુવાદ. અહેતુવાદ શાસ્ત્રને શ્રદ્ધાથી જ સ્વીકારી તેમાં કહેલ ભાખતા શ્રદ્ધાથી જ માની લેવી, અને ખીજી રીતે છેવટનું દિવ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી તેવી બાબતે - ઉપર મુદ્ધિ કે તર્કના પ્રયાગ ન કરવા; અને હેતુવાદ શાસ્ત્ર હોય ત્યાં તેમાં કહેલી બાબા પ્રત્યક્ષ અને અનુમાનથી તપાસી ખાતરી કરવી અને પછી જ તેના ઉપર શ્રદ્દા કેળવવી. આમ અપૂણુ′ સાધકે એક બાજુ શ્રદ્ધા અને બીજી બાજુ બુદ્ધિ બન્નેને વિકાસ કરતા જવું અને એ રીતે ક્રમે ક્રમે બન્નેના વિષયનું અંતર તેાડી, શ્રદ્ઘા અને બુદ્ધિના અભેદ સાધવા. અહેતુવાદ અને હેતુવાદનું પૃથક્કરણ કરી તેને સમજાવવા બન્નેના દાખલાએ આપતાં ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રમાં જે ભવ્ય અને અભવ્ય એવા બે વિભાગ કરી જીવની એ સ્વતઃસિદ્ધ જાતા દર્શાવવામાં આવી છે, તે અહેતુવાદના વિષય છે. કારણ કે, બધા જીવ ભગ્ય જ કે બધા જીવ અભવ્ય જ કેમ નહિ? એ પ્રશ્નના ઉત્તર કઈ પણુ તકથી આપી શકાતા જ નથી. ભવ્ય અને અભવ્ય એવી એ જીવની જાતા સ્વીકારવામાં આગમનું પ્રામાણ્ય અને તેના વક્તાનું આપ્તત્વ માની લેવુ એ એક જ ઉપાય છે. ભવ્ય અભવ્યની જાતના વિભાગનું કારણુ બુદ્ધિથી શોધી શકાય તેમ જ નથી. એને માનવામાં વાના એવે સ્વભાવ છે અને સ્વભાવ સવ નગમ્ય છે” એવા વિશ્વાસ રાખવા એ એક જ ઉપાય છે. તેથી ભવ્ય અભવ્યની જાતિના વિભાગ દર્શાવનાર શાસ્ત્રીય વચનાને અહેતુવાદ સમજવાં. એ જ રીતે સાધારણ વનસ્પતિમાં અનંત જીવે છે અને પ્રત્યેકમાં એક જીવ છે એવુ શાસ્ત્રીય કથન તે પણ અહેતુવાદ છે. ભગ અભવ્યને જાતિવિભાગ અને તેનાં શાસ્ત્રોક્ત લક્ષણા માની લીધા પછી જ્યારે એ સમ્યગ્દર્શન આદિ લક્ષણા ઢાઈમાં દેખાય, ત્યારે તે જોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy