SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ શબ્દ એ પ્રમાણે જિનકથિત પદાર્થાં વિષે ભાવથી શ્રદ્ધા કરતા પુરુષનું જે અભિનિષેધરૂપ જ્ઞાન તેમાં દેશન યુક્ત છે. [૩૨] ૨૫૦ સભ્યજ્ઞાનમાં નિયમથી દશન છે, પરતુ દૃશ`નમાં સમ્યગજ્ઞાન વિકલ્પ્ય છે — અર્થાત્ છે અને નથી પણ. તેથી જ સમ્યજ્ઞાન૫ આ સમ્યગ્દર્શન અર્થે બળથી સાષિત થાય છે. [૩૩] જૈનશાસ્ત્રમાં દર્શન શબ્દ ખાસ પારિભાષિક છે. એની પરિભાષા પ્રમાણે તે શબ્દના એ અથ ખાસ લેવાય છે. એક ા સાકારથી ભિન્ન એવા નિરાકાર ઉપયેગ; અને બીજો અથ શ્રદ્ધા. પહેલા અથ વિષે ગ્રંથકારે પેાતાના મતભેદ બતાવી તેને સ્થાને તેને શે। અ માનવા જોઈ એ, એ પાછળ સાબિત કરી દીધું; અર્થાત્ તેમણે એમ જણાવ્યું કે, દશ નશબ્દના અર્થ જ્ઞાનશબ્દના અથભૂત સાકાર ઉપયેગ કરતાં ભિન્ન નિરાકાર ઉપયોગ એવા નથી, પણુ જ્ઞાનશબ્દપ્રતિપાદ્ય ઉપયાગ જ અપેક્ષાવિશેષે દર્શન શબ્દના પ્રતિપાદ્ય બને છે. એ જ પ્રમાણે ખીન્ન અના વિષયમાં પેાતાના મતભેદ ખતાવતાં ગ્રંથકાર અહીં પેાતાનું વક્તવ્ય સ્પષ્ટ કરે છે, તે કહે છે કે, મેાક્ષના ત્રણ ઉપાયે। પૈકી પ્રથમ ઉપાયભૂત સમ્યગ્દર્શન જે સમ્યગ્નાનથી જુદુ મનાય છે, તે ખરી રીતે જુદું નથી; સમ્યજ્ઞાન જ સમ્યગ્દર્શન છે. અલબત્ત કયું સમ્યગ્નાન સમ્યગ્દર્શન માનવું એ પ્રશ્ન થશે; પણ તેને ઉત્તર એ છે કે, જિનકથિત તત્ત્વ વિષે જે અપાયાત્મક નિશ્ચય હોય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શન એ વિશિષ્ટ રુચિરૂપ છે, પણ રુચિ એ કાંઈ જ્ઞાનથી જુદી વસ્તુ નથી. જિનેાક્ત પદાર્થો વિષે જે વાસ્તવિક અને અટલ નિશ્ચય થાય છે, તે જ મતિરૂપ જ્ઞાન રુચિ હાઈ સમ્યગ્દર્શન છે; તેથી કમ`પ્રકૃતિમાં દનાવરણુ અને દૃર્શીનમાહનીય એ અન્ને સ્થળે દર્શન શબ્દના અર્થ જ્ઞાનથી ભિન્ન નથી, એમ સમજવુ જોઈએ. .Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy