SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૪ સન્મતિ પ્રકરણું જ્ઞાતા તે ન “આ સાચા છે” અને “આ બેટા છે” એ વિભાગ નથી કરતા. [૨૮] દરેક નયની મર્યાદા તિપિતાના વિષયનું પ્રતિપાદન કરવા પૂરતી છે. એ મર્યાદામાં રહે ત્યાં સુધી તે બધા સાચા છે. એ મર્યાદાને. ભંગ કરી જ્યારે તેઓ બીજા પ્રતિપક્ષનયના વક્તવ્યનું નિરાકરણ કરવા લાગે, ત્યારે તેઓ મિશ્યા થઈ જાય છે. આ કારણથી દરેક નયની મર્યાદા સમજનાર અને તેમને સમન્વય કરનાર અનેકાંત બધા નાનું વક્તવ્ય જાણવા છતાં આ એક નય સત્ય જ છે અને બીજે અસત્ય જ છે એ વિભાગ નથી કરતે; ઊલટું તે તે કોઈ એક નયના વિષયને બીજા વિધી નયના વિષય સાથે સાંકળીને જ તે સત્ય છે એવું નિર્ધારણ કરે છે. આ રીતે અનેકાંતા વાદી કાર્યને કથંચિત જ સત યા અસત્ કહે તેમ જ દ્રવ્યને અદ્વૈત કે દૈત પણ કર્થચિત જ કહે. ૨૮] બને મૂલ નાની વિષયમર્યાદા – दव्वट्ठियवत्तव्वं सव्वं सव्वेण णिच्चमवियप्पं। .. आरद्धो य विभागो पज्जववत्तव्वमग्गो य ।। २६ ॥ બધું. બધે પ્રકારે હમેશાં ભેદરહિત હોય તે દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય છે; અને વિભાગ – ભેદ શરૂ થયું કે તે પર્યાયાસ્તિકના વક્તવ્યને માગ બને છે. [૨૯] જગત તે ભેદભેદ ઉભયસ્પ છે, પણ તેમાં જ્યારે બધું કઈ પણ જાતના ભેદ વિના માત્ર સર્પ દેખાય, ત્યારે તે દ્રવ્યાસ્તિકને વિષય છે. અર્થાત અભેદ સુધી જ કવ્યાસ્તિકની મર્યાદા છે. જ્યારે વળી સતના દ્રવ્ય ગુણ આદિ અગર ભૂત વર્તમાન આદિ ભેદ કરવામાં આવે છે, ત્યારે જ પર્યાયાસ્તિકના વિષયને માર્ગ શરૂ થાય છે. અર્થાત મેદથી જ પર્યાયાસ્તિકના વિષયની મર્યાદા શરૂ થાય છે. [૨૯] Jain Education International For Private & Personal Use Only For Private & www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy