________________
૧૬૨
સન્મતિ પ્રકરણ જૈનદર્શનમાં અનેકાંતદષ્ટિ શબ્દ છે અને બૌદ્ધ દર્શનમાં મધ્યમ પ્રતિપદા-મધ્યમમાર્ગ શબ્દ છે. વસ્તુની કોઈ પણ એક બાજુ તરફ ન ઢળતાં તેની અનેક બાજુ તરફ નજર રાખવી, એ અનેકાંતદષ્ટિ શબ્દને સીધો અર્થ છે. એ બંને શબ્દના સીધા અર્થમાં જે સામ્ય છે, તે કરતાં વધારે સામે તો તેમની પાછળ રહેલી ભાવનામાં છે. અનેકાંતદષ્ટિ અને મધ્યમમાગ એ બન્ને વાદો એક જ ભાવનાનાં ફલ છે અને તે ભાવના એટલે સત્યનિરૂપણની ભાવના. સાત્વિક બુદ્ધિનું વલણ તત્વગામી હોઈ તે હંમેશાં યથાર્થતાની દિશા જ પકડે છે, એટલે મહાવીર કે બુદ્ધની સાત્વિક બુદ્ધિમાંથી જન્મેલી સામ્યભાવનાને પરિણામે આ બન્ને સમાનાર્થક વાદો જમ્યા હોય એ સ્વાભાવિક જ છે. આટલું સામ્ય છતાં એ બંને વાદેનાં વિચારક્ષેત્રો જુદાં જુદાં છે એ આપણે જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં આવેલી એ વાદને લગતી ચર્ચાથી જાણી શકીએ છીએ. જન આગમોમાં અનેકાંતદષ્ટિનું વિચારક્ષેત્ર પ્રમેયતત્ત્વ છે, એટલે તે પ્રધાનપણે પ્રમેયના સ્વરૂપને જ વિચાર કરે છે અને તેનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક અથવા શાશ્વત-અશાશ્વત સ્વરૂપ નક્કી કરે છે; ત્યારે બૌદ્ધ પિટકમાં મધ્યમ પ્રતિપદાનું વિચારક્ષેત્ર પ્રધાનપણે જીવનવ્યવહાર છે; તેથી જ તે જીવનવ્યવહારને લગતા સંકલ્પ, વાચા, આજીવ આદિ નિયમોનું સ્વરૂપ વિચારે છે અને ઘડે છે. એ ખરું છે કે, કાળક્રમે વિકાસ થતાં અનેકાંતદષ્ટિના વિચારક્ષેત્રમાં તત્ત્વજ્ઞાન ઉપરાંત આચાર પણ દાખલ થયું છે, છતાં તેને મુખ્ય ઝુકાવ તે હંમેશાં તત્ત્વજ્ઞાન તરફ જ રહ્યો છે. એ વાત અનેકાંતદષ્ટિનાં અને તેમાંથી ફલિત થતા નય, સપ્તભંગી આદિ વાદોનાં ઉદાહરણો જેનાર માટે દીવા જેવી છે. ત્યારે મધ્યમ માર્ગની બાબતમાં એથી ઊલટું છે. આચાર એટલે જીવનવ્યવહાર ઉપરાંત તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં લાગુ પડવાની શક્તિ ધરાવતો મધ્યમપ્રતિપદામાર્ગ ઠેઠ સુધી આચારપ્રદેશમાં જ ખેડાયેલ રહ્યો છે અને તેને તત્ત્વજ્ઞાન પરત્વે કશે ય ઉપગ થયાનું પ્રમાણુ બૌદ્ધ સાહિત્યમાં જણાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org