SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ • જૈન ધર્મ અને દર્શન એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચોક્કસ બંધનમાં નથી હોતી, નથી રહી શકતી; ઊલટું ઘણી વાર તો તે ત્યાં ગૂંગળાઈ જાય છે. જો આધ્યાત્મિકતા જીવનમાં હોય અથવા સાચે જ લાવવી હોય તો તેનો કોઈપણ સાથે વિરોધ નથી. કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પોષી શકાય અને એ બધાંથી છૂટીને પણ ઘણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી તે આવે છે, એનો કોઈ બાહ્ય વસ્તુ સાથે વિરોધ નથી. અલબત્ત, આધ્યાત્મિક જીવનની કળા. જાણવી જોઈએ અને એની કૂંચી લાધવી જોઈએ. આપણે ઘણી વાર આધ્યાત્મિકતાને નામે પુરુષાર્થનો અને સપુરુષાર્થનો ઘાત કરીએ છીએ. સત્પરુષાર્થ કરો એટલે આધ્યાત્મિકતા પાસે જ છે, વગર નોતરે ઊભી જ છે. લોકોને દારૂ પીતા છોડાવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છોડાવવામાં અને તે પણ અહિંસા ને સત્ય દ્વારા) સપુરુષાર્થ નહિ તો બીજું શું છે? – એનો જવાબ કોઈ આગમધર આપશે? વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાલીસ વર્ષનો સાધુસંસ્થાનો ઇતિહાસ આપણને શું કહે છે? તેમની આધ્યાત્મિકતાનો પુરાવો તેમાંથી કેટલો મળે છે ? છેલ્લાં દશ વર્ષને જ લો. જો પક્ષાપક્ષી, કોર્ટબાજી, ગાળગલોચ અને બીજી સંકુચિતતાઓને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તો તો અનિચ્છાએ પણ કબૂલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એક બાજુ દેશહિતના કાર્યમાં કશો જ ફાળો નહિ અને બીજી બાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ નહિ, એમ બંને રીતે દેવાળું કાઢીને કોઈપણ ત્યાગી સંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી હજારો વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન સાધુસંસ્થાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લોકોમાં માનભેર રહેવા ખાતર પણ, આજની ચાલુ પ્રવૃત્તિમાં પોતાનો વિશેષ ઉપયોગ વિચાર્યે જ છૂટકો છે. ' કેટલાંક એવાં બીજાં પણ દેશની દૃષ્ટિએ મહત્ત્વનાં અને સાધુઓ માટે સહેલાં કામો છે કે જેને ત્યાગીગણ અનાયાસે કરી શકે. દા. ત., (૧) વકીલો અને બીજા અમલદારો, જે સરકારી તંત્રના અન્યાયનું પોષણ કરી રહ્યા હોય, તેમને એ બાબતમાં સમજાવી એમાંથી ભાગ લેતા અટકાવવા. (૨) પોલીસો અને સિપાઈઓ, જેઓ આ દેશનું ધન છે, આ દેશના છે અને આ દેશમાં જ રહેવાના છે, તેઓ ફક્ત નજીવી નોકરી માટે અન્યાય ન કરે, જૂઠું ન બોલે, ખુશામત ન કરે, ડરે નહિ અને દેશની સામાન્ય જનતાથી પોતાને અળગા ન માને એવી નિર્દોષ વસ્તુ પ્રેમ અને સત્યથી તેમને સમજાવવી. (૩) કેળવણીનો સાર્વત્રિક પ્રચાર કરવામાં જે ત્યાગી સ્વયંસેવકોની અપેક્ષા રહે છે તે પૂરી પાડવી. આ સિવાય બીજાં પણ હિતકારી કામો છે, પરંતુ જો સાધુસંસ્થા એક બાબતમાં સક્રિય થશે તો બીજાં કાર્યો અને ક્ષેત્રો એમને આપોઆપ સૂઝી આવશે અને મળી આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy