SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ન ધર્મ અને દર્શન તેમણે જૈન ઇતિહાસની ભૂમિકા તૈયાર કરી છે અને તે પણ એવે સમયે કે જ્યારે અત્યારના જેટલાં પુસ્તકો મુદ્રિત ન હતાં, ભંડારોમાં સુલભ ન હતાં, બીજાં પણ જરૂરી સાધનો જમીનમાં દટાયેલાં હતાં. આવી સ્થિતિમાં તેઓએ જે પુરુષાર્થ ખેડ્યો અને જૈન પરંપરાની પેઢીને જે વારસો આપ્યો તે બહુ કીમતી છે અને હવે તેના આધારે આગળનું કામ એક રીતે બહુ સરળ પણ છે. આગળના કામ માટે તત્કાળ શું કરવું જોઈએ એ વિચાર અહીં પ્રસ્તુત છે. પહેલું તો એ છે કે અંગ્રેજી, જર્મન, ફ્રેંચ કે બીજી વિદેશી ભાષાઓમાં જે જે જૈન પરંપરાને સ્પર્શ કરતું લખાયું હોય તે બધું જ એકત્ર કરવું. તેમાંથી કામ પૂરતી તારવણી કરી જે ખરેખર ઉપયોગી હોય તેને યોગ્ય રીતે અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવું અને સાથે સાથે રાષ્ટ્રીય ભાષામાં પણ. જે અત્યાર લગીમાં લખાયું હોય અને છતાં નવાં ઉપલબ્ધ પ્રમાણોને આધારે કે નવી સૂઝને આધારે તેમાં જે કાંઈ સંશોધન કરવા જેવું હોય તે સંશોધી અંગ્રેજી અને હિંદી સંગ્રાહક પુસ્તકોની સાથે જ પ્રસ્તાવના કે પરિશિષ્ટરૂપે જોડવું, જેથી અત્યાર લગીની શોધ અધ્યાત્ત બને. જે જે વિષયો ખેડાયા છતાં ઘણી દષ્ટિએ, ઘણા મુદ્દા પરત્વે અપૂર્ણ દેખાય તેની સાંકળ – યોગ્ય હાથે બાકીનું લખાવી – પૂરી કરવી; એટલે તે તે વિષયની પૂર્તિ થાય અને જ્યાં જરૂર હોય ત્યાં અભ્યાસક્રમમાં પણ રાખી શકાય, તેમજ વધારાના વાચન માટે ભલામણ પણ કરી શકાય. આ ઉપરાંત નવેસર સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ લખવાની વાત તો રહે જ છે. બેમાંથી એકની પસંદગી કરી એ કામ પતાવવું હોય તો, મારી દૃષ્ટિએ, પ્રથમ સાહિત્યના ઇતિહાસનું કામ હાથ ધરવું જોઈએ, એક તો એ વાંચનારને આકર્ષી શકે અને સાથેસાથે આગળના કઠણ કામની તૈયારી કરવા-કરાવવામાં પ્રેરક પણ બને. જ્યારે આપણે સાહિત્યના ઇતિહાસની વાત કરીએ ત્યારે કોઈપણ એક ફિરકો, કોઈપણ એક પંથ કે કોઈપણ એક ગણ–ગચ્છની વાત કરતા નથી. આપણે એક એવા ઈતિહાસની વાત કરીએ છીએ કે જેમાં જૈન પરંપરામાં થઈ ગયેલા અને અસ્તિત્વ ધરાવતા કોઈપણ ફિરકાની ઉપેક્ષા નહિ હોય. જે કાંઈ સત્યની દૃષ્ટિએ, સાધનોના પ્રમાણમાં, લખવાનું પ્રાપ્ત થાય તે જ લખાય. આથી દરેક ફિરકી પોતાની પ્રથમની સેવેલી ધારણાઓને એકાંત સંતોષી જ શકે, એમ ન બને; પણ આવો ઈતિહાસ દરેક ફિરકાના સંકુચિત મનને ઉદાર બનાવે અને દરેક પરસ્પર સહાનુભૂતિથી વિચારતાં-વર્તતાં શીખે, એનું સાધન પણ પૂરું પાડે. તેથી ગૃહસ્થો કરતાં આ પ્રશ્ન પરત્વે હવે સાધુઓએ જ આગળ આવવું જોઈએ, એમ હું માનું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy