SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ..[ ]... ૨. અને તે તે ગતિના પ્રભેદોનો વિચાર કરવામાં આવે તો ઉપપાતવિરહકાળ અને ઉર્દૂર્તનાવિરહફાળ પ્રથમ નરકમાં જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત હોવાથી ખીજા અધિકારનું નામ ચઉવીસા-ચોવીશ એમ રાખ્યું છે (૫૬૯-૬૦૮). સિદ્ધગતિમાં ઉપપાત તો છે, કારણ, મનુષ્યનું નિર્વાણ થાય છે ત્યારે તે સિદ્ધગતિમાં જાય છે, પણ સિદ્ધગતિમાંથી ઉર્તના નથી, એટલે કે જે જીવ સિદ્ધ થઈ ગયો છે તેને તે સિદ્ધગતિ કદી પણ છોડવાની નથી. આથી સિદ્ધગતિ વિષે ઉપપાતવિરહકાળનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી તેનો ખુલાસો કર્યો છે કે સિદ્ધતિમાં ઉપપાતવિરહકાળ જધન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ છ માસનો (૫૬૪), પણ ઉર્તનાવિરહકાળ વિષે તો પ્રશ્ન જ ઊઠતો નથી. આથી મોક્ષમાંથી પુનરાગમન સંસારમાં નથી થતું એવી જૈનોની માન્યતા ફલિત થાય છે એ ચોક્કસ છે, તે ધ્યાનમાં રાખવા જેવું છે. આચાર્ય મલયગિરિએ ઢીક જ પ્રશ્નાવ્યો છે કે આગામી સૂત્રોમાં એક પણ નરકનો ઉપપાતવિરહકાળ ૧૨ મુક્તે જણાવ્યો નથી, પણ ૨૪ મુર્ત અને તેથી વધારે છે, તો સામાન્યમાં ઉત્કૃષ્ટ ૧૨ મુ વિરહકાળ કેવી રીતે ઘટે ? તેનો ખુલાસો તેમણે આપ્યો છે કે જ્યારે રત્નપ્રભાદિ એકેક નારકનો વિચાર કરવામાં આવે છે, ત્યારે ઉત્કૃષ્ટ ૨૪ મુર્ત આદિ વિરહકાળ છે, છતાં પણ સાતેય નરકોને એકસાથે રાખીને વિચાર કરીએ તો ખાર મુર્ત પછી તો કોઈ ને કોઈ નરકમાં જીવ ઉત્પન્ન થાય જ છે, તેથી તેમાં બાધ નથી. આ જ ન્યાય અન્ય ગતિ વિષે પણ छे.- " यद्यपि हि नाम रत्नप्रभादिषु एकैकनिर्धारणेन चतुर्विंशतिमुहूर्तादिप्रमाण उपपातविरहो वक्ष्यते, तथापि यदा सप्तापि पृथिवी : समुदिता अपेक्ष्य उपपातविरहश्चिन्त्यते तदा स द्वादशमुहूर्तप्रमाण एव लभ्यते, द्वादशमुहूर्तानन्तरमवश्यमन्यतरस्यां पृथिव्यामुत्पादसम्भवात् । तथा केवलवेदसोपलब्धेः । यस्तु ' प्रत्येकमभावे समुदायेऽप्यभावः' इति न्यायः स कारणकार्यधर्मानुगमचिन्तायां नान्यत्र – इत्यदोषः । " પ્રજ્ઞાવનાટીા, વત્ર ૨૦૫ . એ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે જીવપ્રભેદોમાં બધાને સરખી રીતે ઉત્કૃષ્ટ વિરહકાળ ૨૪ મુર્ત નથી પણ ઓછો-વધતો પણ છે. અને છતાં અધિકારનું નામ ‘ ચઉવીસા ’ રાખ્યું છે તેનું કારણ એ જણાય છે કે પ્રભેદોમાં રત્નપ્રભાથી ગણતરી શરૂ કરી છે અને તેનો ઉપપાત અને ઉર્તનાવિરહકાળ ઉત્કૃષ્ટ ૨૪ મુહૂત છે, તેથી તે પ્રારંભનું પદ પકડીને અધિકારનું નામ આપ્યું હોય એવો સંભવ છે. વળી, આર્ય શ્યામાચાર્ય એ ધ્યાનમાં લેવા જણાવે છે કે જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો વિષે ઉર્તના શબ્દનો પ્રયોગ કરવો નહિ પણ ‘ચ્યવન ’ શબ્દનો પ્રયોગ કરવો (૬૦૮). જીવપ્રભેદોમાં ઉપપાતવિરહકાળ અને ઉર્દૂતનાવિરહકાળ સમાન જ છે, તેથી સાથેની સૂચીમાં તે આપવામાં આવે છે અને બધા જ જીવોનો જધન્ય વિરહકાળ તો એક સમય જ અભિપ્રેત છે તેથી તેનો જુદો નિર્દેશ જરૂરી નથી. જીવોના ઉષપાતનો અને ઉદ્ભર્તનાનો વિરહકાળ (ઉત્કૃષ્ટ) ૧૨ મુર્ત (૫૬૦)k ૧-૧. રત્નપ્રભા નરકે ૨૪ (૫૬૯) ૧-૨. શર્કરાપ્રભા નરક ૭ રાત-દિન (૫૭૦) ૧. બધાના તેના વિરડ કાળ માટે સૂત્ર ૬૦૭ અને ૬૦૮ જેવાં. કૌંસમાં આપેલ સૂત્રો ઉપપાતવિરહકાળ માટે છે. ૧. નિયગતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy