SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ...[3]... સંખ્યા જણાવી હતી, પણ તીજા પદમાં સંખ્યાગત તારતમ્યનું નિરૂપણુ મુખ્ય હોઈ યા વિશેષની કેટલી સંખ્યા છે તે જાણવાનું બાકી રહી જતું હતું, તેથી પ્રસ્તુતમાં તે તે ભેદોની સંખ્યા પણ જણાવી દીધી છે. અને પછી તે તે ભેદોના પર્યાયોની સંખ્યા પણ જણાવી દીધી છે. પર્યાયોની સંખ્યા તો બધા જ દ્રવ્યભેદોની અનંત છે. ભેદોની સંખ્યામાં કેટલાક અસંખ્યાત તો કેટલાક અનંત છે. માત્ર વનસ્પતિ અને સિહોની સંખ્યા જીવભેદોમાં અનંત છે, ખાકીના બધા જીવભેદો અસંખ્યાત છે. વળી, પ્રસ્તુતમાં પ્રથમપદનિષ્ટિ બધા જ ભેદ-પ્રભેદોને લઈ ને વિવરણુ નથી, પણ સંસારી જીવોમાં મુખ્ય મુખ્ય જીવભેદો, જેને ‘ચોવીસ દંડક’ નામે ઓળખવામાં આવે છે, તેમની તથા સિદ્ધોની સંખ્યા અને પર્યાયોનો વિચાર છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. આગળ ઉપર એ સૂચી આપવામાં આવે છે, તે જોવાથી એ સ્પષ્ટ થશે. તેમાં નં. ૧થી ૨૪ સંસારી જીવોના ભેદો છે, તેને ચોવીસ દંડક કહેવામાં આવે છે અને ૨૫મો નંબર સિદ્ધોનો છે, જીવદ્રવ્યના નારકાદિ ભેદોના પર્યાયોનો વિચાર અનેક પ્રકારે–અનેક દૃષ્ટિથી—કરવામાં આવ્યો છે. અને તેમાં જૈનસંમત અનેકાંતદૃષ્ટિનો ઉપયોગ સ્પષ્ટ છે. જવના નારાદિ જે ભેદોના પર્યાયોનું નિરૂપણ છે, તેમાં દ્રવ્યાર્થતા (વળ્વદયા), પ્રદેશાર્થતા (વેસજ્જતા), અવગાહનાર્થતા (મોવાળજ્જતા), સ્થિતિ (f), કૃષ્ણાદિ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, જ્ઞાન અને દર્શન—આ દશ દષ્ટિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે (સૂત્ર ૪૪૦-૪૫૪). વિચારણાનો ક્રમ આવો છે—પ્રશ્ન છે કે નારક જીવોના કેટલા પર્યાયો છે. ઉત્તરમાં જણાવ્યું છે કે નારક વોમાં અનંત પર્યાયો છે. આ અનંત પર્યાયોની સંગતિ જણાવવા માટે ઉક્ત દશે દૃષ્ટિથી તે પર્યાયોની સંખ્યા જણાવી છે. તેમાં કેટલીક દષ્ટિથી સંખ્યાત તો કેટલીક દષ્ટિથી અસંખ્યાત અને કેટલીક દૃષ્ટિથી અનંત સંખ્યા થાય છે. અનંતદર્શક દૃષ્ટિને ધ્યાનમાં લઈ ને નારકના પર્યાયોને અનંત કહ્યા છે, કારણ કે તે દૃષ્ટિએ સૌથી વધારે પર્યાયો ધટે છે. વળી, તે તે સંખ્યાઓને સીધી રીતે નથી જણાવી, પણ એક નારકની અન્ય નારક સાથે તુલના કરીને તે સંખ્યા ફલિત કરવામાં આવી છે, જેમ કે— દ્રવ્યાર્થતા વડે કોઈ નારક અન્ય નારકોથી તુલ્ય છે, આમ કહ્યું. આનો અર્થ એ છે કે દ્રવ્યદૃષ્ટિએ કોઈ નારક એક દ્રવ્ય છે તેમ અન્ય નારક પણ એક દ્રવ્ય છે. સારાંશ કે કોઈ પણ નારકને દ્રવ્યદૃષ્ટિથી એક જ કહેવાય, તેની સંખ્યા એકથી વધારે હોય નહિ અર્થાત્ તે સંખ્યાત છે, તે જ રીતે— ૪પ્રદેશાર્થતા વડે પણ નારક જીવો પરસ્પર તુલ્ય છે. આનો અર્થ એ છે કે જેમ એક નાકજીવના પ્રદેશો અસંખ્યાત છે, તેમ અન્ય નારકના પ્રદેશો પણ અસંખ્યાત છે. સારાંશ કે પ્રદેશોની અપેક્ષાએ કોઈ પણ એક નારક અસંખ્યાત છે એમ કહેવાય. અવગાહનાર્થતા વડે એટલે કે જવના શરીરની ઊંચાઈની અપેક્ષાએ વિચારવામાં આવે તો એક નારક અન્ય નારકથી હીન પણ હોય, તુલ્ય પણ હોય અને અધિક પણ હોય. જીવપ્રદેશોની દૃષ્ટિએ સરખા છતાં નારકોમાં શરીરની ઊંચાઈ ને લઈ ને જે ભેદ પડે છે, તે ઉક્ત ત્રણ પ્રકારનો છે. સંખ્યાની પરિભાષામાં આ વસ્તુ જણાવવી હોય તો એ જાણવું જરૂરી બને છે કે નારકની ઓછામાં ઓછી અવગાહના કેટલી ? રત્નપ્રભામાં જધન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ૪. જીવદ્રવ્ય ધર્માસ્તિકાયાદિની જેમ સપ્રદેશ હોવાથી આ દૃષ્ટિએ વિચાર જરૂરી બને છે. વળી, કાળ અને પરમાણુ અપ્રદેશી છે તેથી સમગ્ર જીવાજીવનો વિચાર હોય ત્યાં પ્રદેશ-ષ્ટિએ વિચારણા જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy