SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ...[3]... જૈન મતની જેમ જ પચ્ચેકબોધિને પ્રાપ્ત કરનાર ખીજાના ઉપદેશની અપેક્ષા રાખતા નથી, પણ તે સ્વયંસંમુદ્દે છે. તેઓ ઉપદેશ આપતા નથી, બીજાને સંયુદ્ધ કરી શકતા નથી; માત્ર ખીજા માટે તેમનું જીવન ઉદાહરણરૂપ બને છે. સમ્માસંબોધિને પ્રાપ્ત કરનાર પણ, પોતાના પ્રયત્નથી જ...ખીજાના ઉપદેશ વિના જ—તે પ્રાપ્ત કરે છે અને ખીજાને બોધિ પ્રાપ્ત કરાવવા સમર્થ હોય છે. જૈન મત પ્રમાણે તીર્થંકરની જે યોગ્યતા છે તેવી જ યોગ્યતા સમ્ભાસંબોધિ ધરાવનાર સમ્ભાસંબુદ્ધમાં હોય છે. સામાન્ય પરિભાષામાં આપણે તેમને બુદ્ધ તરીકે જાણીએ છીએ.૧૦ સંસારી જીવો પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં સિદ્ધ જીવોનું નિરૂપણુ કર્યા પછી સંસારી જીવોના ભેદ-પ્રભેદો ગણાવ્યા છે. એ ગણતરીનો મુખ્ય આધાર ઇન્દ્રિયો છે. તેના પ્રભેદોમાં જીવોની સૂક્ષ્મતા અને સ્થૂલતા તથા પર્યાપ્તિ અને અપર્યાપ્તિને ભેદે વોના પ્રભેદો થાય છે. વળી, જન્મના પ્રકારને લઈ ને ભેદ પડે છે. એકન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના સમૂમિ, તિર્યંચપંચેંદ્રિય અને મનુષ્યમાં ગર્ભજ અને સંમૂશ્ચિમ અને નારક તથા દેવનો ઉપપાત જન્મ છે. નારક અને સંમૂચ્છિમ નિયમતઃ નપુંસક જ હોય, ગભૅજમાં ત્રણે લિંગ હોય, દેવોમાં પુરુષ અને સ્ત્રી હોય છે. આમ લિંગભેદે પણુ તે તે જીવોનો ભેદ છે. પંચદ્રિય જીવોમાં જે ભેદો પડે છે તેનો આધાર નરકાદિ ચાર ગતિ છે. ઉપરાંત, ગર્ભજ તથા સમ્યૂઝિમ એ પણ ભેદનિયામક છે. મનુષ્યના ભેદનિયામકોમાં દેશભેદ, સંરકારભેદ, વ્યવસાયભેદ, જ્ઞાનાદિશક્તિભેદ જેવી બાબતો લેવામાં આવી છે. નારક અને દેવોનો ભેદ સ્થાનભેદથી છે. આટલી સામાન્ય હકીકત જાણ્યા પછી જીવભેદ-પ્રભેદોની સૂચી, જે નીચે આપવામાં આવે છે, તે સમજવી સહેલી થઈ પડશે. સૂચીમાં મૂળમાં જ્યાં—જેમ કે વનસ્પતિની બાબતમાં— મોટી સંખ્યામાં ભેદો આપ્યા છે, ત્યાં માત્ર સંખ્યાંક આપીને જ સંતોષ માન્યો છે. જિજ્ઞાસુએ તેવે સ્થળે મૂળ જોઈ લેવું જોઈ એ. જીવોના આ જ ભેદ-પ્રભેદો વિષે દ્વિતીય આદિ પદોમાં અનેક ખાખતો—જેવી કે તેમનાં રહેવાનાં સ્થાન, તેમનું પરસ્પર સંખ્યાની દૃષ્ટિએ તારતમ્ય, આયુ, તેમના વિશેષ–પર્યાયો ઇત્યાદિ અનેક બાબતો—નો વિચાર થયો છે. તેથી તે દૃષ્ટિએ આ સૂચી જરૂરી છે. ૧, જીવ (સૂત્ર ૧૪) ૧. ૧ અસંસારસમાપન (સિદ્ધ) (૧૫) ૧. ૧. ૧ અનન્તરસિદ્ધ (૧૬) Jain Education International ૧. ૧. ૧ .૧ તીર્થસિદ્ધ .૨ તીર્થસિદ્ધ .૩ તીર્થંકરસિદ્ધ .૪ તીર્થંકરસિદ્ધ .૫ સ્વયંમ્રુદ્ધસિદ્ધ ૬ પ્રત્યેકમુદ્ધસિદ્ધ .૭ મુદ્દબોધિતસિદ્ધ .૮ સ્ત્રીલિંગસિદ્ધ .૯ પુરુષલિંગસિદ્ધ .૧૦ નપુંસકલિંગસિદ્ધ • ૧૧ સ્વલિંગસિદ્ધ .૧૨ અન્યલિંગસિદ્ધ ૧૦. પ્રસ્તુત ચર્ચા માટે જુઓ ઉપાસકજનાલંકારની પ્રસ્તાવના, પૃ૦ ૧૬ અને તે જ પુસ્તકનું લોકુત્તરસંપત્તિ નિ ડ્રેસ (પૃ૦ ૩૪૦) નામનું પ્રકરણ (P. T. S.). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy