SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૫]... ભિગમમાં પ્રજ્ઞાપના અને તેનાં પદોનો ઉલ્લેખ અનેકવાર છે. (સૂત્ર ૪, ૫, ૧૩, ૧૫, ૨૦, ૩૫, ૩૬, ૩૮, ૪૧, ૮૬, ૯૧, ૧૦૦, ૧૦૬, ૧૧૩, ૧૧૭, ૧૧૯–૧૨૨); વળી, રાજપ્રશ્નીય (સૂત્ર ૧૦૯, ૧૧૦) અને ઔષપાતિક (સૂત્ર ૧૧૧) ત્રોનો પણ ઉલ્લેખ છે. એમાંથી ઔપપાતિકનો ઉલ્લેખ તો આગમોના લેખન કાળનો હોવો જોઈ એ, એટલે કે વલભીવાચનાના કાળમાં તે સગવડ ખાતર કરવામાં આવ્યો છે, એમ માની શકાય છે. પરંતુ પ્રજ્ઞાપનાનો ઉલ્લેખ પણ તે જ કાળે કરવામાં આવ્યો છે કે રચયિતાએ જ કર્યાં છે તે નક્કી કરવા માટે તે બન્નેનું પૌર્વાપર્યં અન્ય પ્રકારે નક્કી કરવું જરૂરી છે. જીવાજીવાભિગમની સામાન્ય રચના એવી છે કે તેમાં ક્રમે ક્રમે જીવભેદોનું નિરૂપણ અને તે ભેદોમાં તે તે જીવની સ્થિતિ, અંતર, અલ્પબહુત્વ આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે સમગ્ર ગ્રંથ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. પ્રથમ વિભાગમાં અજીવનું અને સંસારી જીવોના ભેદોનું અને ખીજામાં સમગ્ર જીવોનું એટલે કે સંસારી અને સિદ્ધ એ બન્નેનો સમાવેશ થાય એવી રીતે ભેનરૂપણ છે. તે તે એ ભેદ, ત્રણ ભેદ ઇત્યાદિ દશ ભેદોનું નિરૂપણ કરતી વખતે તેમાં સ્થિતિ વગેરે બાબતોનું કથન કરવામાં આવ્યું છે. પરંતુ પ્રજ્ઞાપનામાં પણ મુખ્ય વિષય તે જ છતાં તેમાં નિરૂપણપદ્ધતિ જુદી છે. તેમાં તે ગ્રંથને ૩૬ પદોમાં વિભક્ત કરવામાં આવ્યો છે, અને ભેદનિરૂપણ માત્ર પ્રથમ પદમાં કરવામાં આવ્યું છે. એટલે કે જીવ-અવના જે ભેદ-પ્રભેદો છે તેનું સમગ્રભાવે ચિત્ર પ્રથમ પ્રજ્ઞાપનાપદમાં મળ રહે છે. ત્યાર પછીનાં પદોમાં જીવોનાં સ્થાન, અલ્પબહુવ, સ્થિતિ ત્યાદિ અનેક વિષયોનો ક્રમે વિચાર છે. સારાંશ કે તે તે જીવભેદની સ્થિતિ આદિનો વિચાર તે તે જીવભેદના વર્ણન પ્રસંગે આપણે જીવાજીવાભિગમમાં જાણી શકીએ; પણ પ્રજ્ઞાપનામાં તો તે તે પદમાં બધા જ જીવોની સ્થિતિ આદિ વિષયોનો એકત્ર પરિચય પ્રાપ્ત કરીએ છીએ. વળી, જે અનેક વિષયોની ચર્ચા પ્રજ્ઞાપનાનાં શેષ ૩૫ (૨ થી ૩૬) પદોમાં છે, તે સર્વ વિષયોની ચર્ચા જીવાજીવાભિગમમાં નથી— આમ નિરૂપણપદ્ધતિનો ભેદ બન્નેમાં છે જ; ઉપરાંત, પ્રજ્ઞાપનામાં વસ્તુવિચારનું પણ આધિક્ય છે. આ ઉપરથી સહેજે એમ માનવા મન થાય છે કે જીવાજીવાભિગમની રચના પ્રજ્ઞાપનાથી પૂર્વે કદાચ થઈ હશે. અને તેમાં પ્રજ્ઞાપનાનો ઉલ્લેખ અંગમાં એટલે કે ભગવતીમાં કરવામાં આવ્યો છે, તેમ સંક્ષેપ ખાતર કરવામાં આવ્યો હશે. વળી, જેમ અંગ ગ્રંથોમાં પ્રારંભમાં મંગળ નથી દેખાતું તેમ પ્રસ્તુત જીવાજીવાભિગમમાં પણ મંગળ કરવામાં આવ્યું નથી, પણ માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે જિનમત, જિનાનુમત...જિનર્દેશિત...જિનપ્રશસ્તનું અનુચિંતન કરીને તેમાં શ્રદ્ધા ધરાવીને સ્થવિર ભગવંતોએ આ જીવાજીવાભિગમ નામના અધ્યયનની પ્રજ્ઞાપના કરી છે. ગ્રંથપ્રારંભની આ પદ્ધતિ અંગરચનાનું અનુકરણ છે. તેમાં જેમ ‘ હૂઁ મે સુર્ય ’—એ પ્રકારે પ્રાપ્ત થયેલ શ્રુતનો ઉપદેશ આર્ય સુધર્માં જંબૂને આપે છે તેમ અહીં સૂચના છે કે સ્થવિરોએ જે જિનોપદેશ પ્રાપ્ત કર્યો હતો તેમાં શ્રદ્ધા ધરાવીને તેમણે આ ગ્રંથની પ્રરૂપણા કરી છે. પરંતુ પ્રજ્ઞાપનાના પ્રારંભમાં તો મંગળ એટલે કે સિદ્ધ વગેરેને વંદના કરવામાં આવી છે. અને પછી જ જિનવરના ઉપદેશને આધારે રચના કરવામાં આવી છે તેવો નિર્દેશ છે. આમ જીવાજીવાભિગમના પ્રારંભમાં અંગશૈલીનું અનુકરણ છે, જ્યારે પ્રજ્ઞાપનામાં મંગલપૂર્વક શાસ્ત્રરચના થઈ છે. આથી પણ કહી શકાય કે મંગલ કરીને જ શાસ્ત્ર રચવાની પદ્ધતિ શરૂ થયા પછી પ્રજ્ઞાપનાની રચના થઈ હશે; જ્યારે, સંભવ છે કે, જીવાજીવાભિગમની રચના તે પહેલાં થઈ ગઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy