SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦]. હતું તેથી જૈન દર્શનને માન્ય પદાર્થોનું વ્યવસ્થિત નિરૂપણ કરનાર પ્રજ્ઞાપનાનો સંબંધ દષ્ટિવાદ સાથે હોય તે વધારે ઉચિત પણ છે. અને જે આધારે પરંપરા રૂઢ થઈ તે પરંપરાને અનુસરી આચાર્ય મલયગિરિએ જણાવ્યા મુજબ સમવાયાંગમાં પણ છવ-અજીવ આદિ તત્વોનું જ નિરૂપણ છે તેથી પ્રજ્ઞાપનાને તેનું ઉપાંગ માનવામાં કશો વિરોધ પણ નથી. પ્રજ્ઞાપનાની રચનાશૈલી ગ્રંથના પ્રારંભમાં સ્તુતિરૂપ મંગલ કરીને ગ્રંથરચનાની પ્રતિજ્ઞા બાદ પ્રતિપાદ્ય વિષ્યનો નિર્દેશ કરતી ગાથાઓ આપી છે. આમાં ૩૬ વિષયોનો નિર્દેશ છે તેથી ગ્રંથને ૩૬ પ્રકરણમાં વહેંચી દેવામાં આવ્યો છે અને પ્રત્યેક પ્રકરણને “પદ' એવું સામાન્ય નામ આપવામાં આવ્યું છે, જેની સૂચના તે તે પ્રકરણને અંતે સમાપ્ત થતા પ્રતિપાદ્ય વિષય સાથે આપવામાં આવી છે. આચાર્ય મલયગિરિ “પદ’ની વ્યાખ્યા કરતાં કહે છે કે- “gટું મર્યાષિાર શુતિ પ્રચાર પ્રસાનાટી, વત્ર ૬માં એટલે કે “પદ' શબ્દનો અર્થ અહીં પ્રકરણકે અર્થાધિકાર એમ સમજવાનો છે. સમગ્ર ગ્રંથની રચના પ્રશ્નોત્તર રૂપમાં છે. પ્રારંભમાં ૮૧ સૂત્ર સુધી પ્રશ્નકર્તા કે ઉત્તરદાતા કોણ તેના વિષેની કોઈ સૂચના નથી, માત્ર પ્રશ્નો અને ઉત્તર છે. પણ ત્યાર પછીના ૮૨મા સૂત્રમાં ભગવાન અને ગૌતમનો સંવાદ છે. વળી, ૮૩થી ૯૨માં સામાન્ય પ્રશ્નોત્તર દેખાય છે અને અચાનક ૯૩મા સૂત્રમાં ગૌતમ અને ભગવાનના પ્રશ્નોત્તરે છે. ત્યાર પછી વળી સામાન્ય પ્રશ્નોત્તર ચાલુ થાય છે તે ૧૪૭મા સુધી ચાલે છે. પછીની રચનામાં જ્યાં ગૌતમ અને ભગવાનના પ્રશ્નોત્તરી છે તે આ પ્રમાણે છે : સૂત્ર ૧૪૮-૨૧૧ અર્થાત સમગ્ર બીજું પદ, તીજા પદમાં સૂત્ર ૨૨૫-૨૭૫, ૩૨ ૫, ૩૩૦-૩૩૩; ચોથા પદથી બધાં જ પદોના સૂત્રોમાં છે. માત્ર પ્રારંભમાં, વચ્ચે કે અંતે આવતી ગાથાઓમાં અને સૂત્ર ૧૦૮૬ માં તે નથી. અને એક અપવાદ છે, જેનો પ્રારંભ આ પ્રમાણે છે, સૂત્ર ૩૩૪ “મણ મંતે! પશ્વનાથgવ૬ મહાવંડ વત્તાક્ષા”િ—આ રીતે શિષ્ય (તે કોણ છે તે જાણવામાં આવે તેમ નથી) ગુરુની સમક્ષ મહાદંડક રચવાની પ્રતિજ્ઞા કરીને સર્વ જીવોનું અલ્પ-બહુત વર્ણવે છે. આની ટીકામાં આચાર્ય મલયગિરિએ આ પ્રમાણે ખુલાસો કર્યો છે– " अनेन एतद् ज्ञापयति-तीर्थकरानुज्ञामात्रसापेक्ष एव भगवान् गणधरः सूत्ररचनां प्रति प्रवर्तते, न पुनः श्रुताभ्यासपुरःसरम् इति । यद्वा एतद् ज्ञापयति-कुशलेऽपि कर्मणि विनेयेन गुरुमनापृच्छय च न प्रवर्तितव्यम् , किन्तु तदनुज्ञापुरःसरम् । अन्यथा विनेयत्वायोगात् ।”–पण्णवणाटीका, पत्र १६३ अ। આચાર્ય મલયગિરિ પોતે નિઃશંક નથી. તેથી વિકલ્પ બે બાબતો રજુ કરે છે. પ્રથમમાં તેમણે માન્યું છે કે અહીં પણ શિષ્ય તરીકે ગણધર ગૌતમ વિવક્ષિત છે. બીજા વિકલ્પમાં માત્ર ગુરુ-શિષ્ય એવું સામાન્ય રૂપે વિવક્ષિત છે. વળી, જેમાં પ્રારંભમાં સમગ્ર ગ્રંથની અધિકારગાથાઓ મૂકવામાં આવી છે, તેમ કેટલાંક પ. “સૂત્રમૂ: ઝવેરળમ” ન્યાયવાર્તિક, પૃ. ૧. ૬. આવો જ મહાદંડક પખંડાગમમાં પણ છે. તેની ચર્ચા આગળ આવશે. ૭. પ્રારંભમાં જ આચાર્ય શ્યામ દષ્ટિવાદને આધારે પ્રજ્ઞાપનાની રચના કરે છે એમ તેમણે જ જણાવ્યું છે, એટલે સંભવ છે કે પ્રસ્તુત ભાગ અંગનો અંશ હોય અને તે રીતે એને ગણધરની રચના કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy