SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [૬].... પખંડાગમ અને કષાયપાહુડનો સંબંધ દષ્ટિવાદ અને પૂર્વ સાથે જોડવામાં આવ્યો છે. શ્વેતાંબરદિગંબર બન્નેને સંમત કર્મસાહિત્યના પ્રાચીન કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ જેવા સિદ્ધાતિક ગ્રંથોનું મૂળ પણ પૂર્વમાં મનાયું છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં સિદ્ધાતિક ગ્રંથ પ્રજ્ઞાપનાનો સંબંધ પણ દષ્ટિવાદ સાથે જ છે. વિશેષતા એ છે કે પખંડાગમનું મૂળ દષ્ટિવાદમાં છે એમ તેના ટીકાકાર ધવલામાં સ્પષ્ટ કરે છે; જ્યારે પ્રસ્તુતમાં તો સ્વયં ગ્રંથકર્તા પ્રજ્ઞાપનાનો સંબંધ દૃષ્ટિવાદ સાથે જણાવે છે. - પૂર્વો વિદ્યમાન હતાં, તો પછી એ ઉપેક્ષિત કેમ થયાં અને વિચ્છિન્ન કેમ થયાં–આવો પ્રશ્ન સ્વાભાવિક છે. આનો ઉત્તર એ છે કે તેમને આધારે વધારે વ્યવસ્થિત ગ્રંથોની રચના થઈ તેથી તેમની પ્રથમ ઉપેક્ષા અને પછી સહજ ભાવે વિચ્છેદ થાય—એવો ક્રમ માનવામાં ઔચિત્ય છે. દિગંબરોએ શ્વેતાંબર સંમત આગમો વિચ્છિન્ન છે એમ તો માન્યું, પણ તેમને માટે પણ સૌથી વધારે પ્રામાણ્ય અને મહત્વ ખંડાગમ જેવા સૈદ્ધાત્વિક ગ્રંથોનું હતું. છતાં પણ તેની એક માત્ર પ્રતિ ઉપલબ્ધ થાય અને તે અધ્યયન-અધ્યાપનમાંથી છેલ્લા હજાર વર્ષથી દૂર થાય તેનું કારણ શોધીએ તો આ પ્રશ્નનો ઉત્તર મળી રહે છે. જેમ પૂર્વે ગ્રંથોમાંથી અંગ અને અન્ય ગ્રંથોની રચના થઈ ત્યારે પૂર્વનું પ્રામાણ્ય અને મહત્ત્વ છતાં તે ક્રમે કરી ઉપેક્ષિત થાય અને અધ્યયન-અધ્યાપનમાંથી બાકાત થાય અને છેવટે વિચ્છિન્ન પણ થાય, તેમ જ્યારે ગોમટ્ટસાર જેવા વ્યવસ્થિત અને સારભૂત ગ્રંથોની રચના પખંડાગમને આધારે થઈત્યારે પખંડાગમ પણ ઉપેક્ષિત થઈ માત્ર એક પ્રતિમાં વિદ્યમાન રહે—એ સ્વાભાવિક છે. પછી આવા ગ્રંથોનું ઐતિહાસિક મહત્વ તો રહે જ છે, પણ અધ્યયન-અધ્યાપનમાં તો ઉપેક્ષિત જ થાય છે. અને વિચ્છેદનું એકમાત્ર કારણ આ ઉપેક્ષા બને છે. આ જ પ્રક્રિયા પ્રમાણે પ્રાચીન દિગંબર મતે અંગોનો અધિક ભાગ લુપ્ત થઈ ગયો, માત્ર આંશિક અંગો વિદ્યમાન રહ્યાં, અને આધુનિક માન્યતા પ્રમાણે સર્વાશે લુપ્ત થઈ ગયાં. પણ શ્વેતાંબર મત પ્રમાણે અંગોનો સર્વથા લોપ નથી થયો; તેના અંશોનો લોપ થયો છે. જેમ પૂર્વમાંથી અંગોનું નિર્માણ થયું તેમ પૂર્વ અને અંગોને આધારે અંગબાહ્ય ગ્રંથોની રચના કાળક્રમે થઈ. તેનું નિર્માણ વિરોએ કર્યું. જેમ પૂર્વમાંથી રચાયેલ અંગમાં પૂર્વ કરતાં વધારે રચનાસૌષ્ઠવ હોય, તેમ પૂર્વ અને અંગને આધારે રચાયેલ અંગબાહ્ય ગ્રંથોમાં કાળક્રમે વધારે રચનાસૌષ્ઠવ આવે તે સ્વાભાવિક છે. આથી વિષયનિરૂપણની બાબતમાં વ્યવસ્થા, અંગ કરતાં અંગબાહ્યમાં વધારે સારી હોય–વાચકને સુગમ અને અનુકૂળ હોય–તેમ બનવું સ્વાભાવિક છે. આવી વ્યવસ્થાન–સંદર અને વાચકને અનુકળ વ્યવસ્થાનું-–પ્રમાણપત્ર માત્ર આજે જ આપણે આપીએ છીએ તેમ નથી, પણ અંગ ગ્રંથોની અંતિમ વાચનામાં અંગબાહ્ય ગ્રંથોને આવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, અને તે, તે તે વિષયનું નિરૂપણ વિશેષાર્થીએ તે તે અંગબાહ્યમાં જોઈ લેવું તેમ સૂચવીને આપ્યું છે. આથી જ આપણે જોઈએ છીએ કે અંગ કરતાં નદી, અનુયોગદ્વાર કે પ્રજ્ઞાપના કાળદષ્ટિએ પછીની રચના છતાં ભગવતી જેવા મહત્વના અંગ ગ્રંથમાં નંદી, અનુયોગદ્વાર કે પ્રજ્ઞાપનામાં તે તે વિષય જોઈ લેવાની ભલામણ કરવામાં આવી છે. આમ પ્રામાણ્યની દૃષ્ટિએ પૂર્વ અને અંગ વિશેષ મહત્ત્વનાં છતાં વિષયનિરૂપણની દૃષ્ટિએ તેમના કરતાં અંગબાહ્ય ગ્રંથો વિશેષ મહત્ત્વ ધરાવે છે–એ બાબત લક્ષ્યમાં લેવા જેવી છે. અંગ ગ્રંથોમાં સૈદ્ધાતિક ચર્ચા નથી જ એમ તો ન કહેવાય. પણ સ્થાનાંગ-સમવાયાંગમાં સંખ્યાને આધારે થયેલ છે, વિષયને આધારે નહીં; જ્યારે ભગવતીમાં સૈદ્ધાતિક ચર્ચા મુખ્ય છતાં –તેનું પ્રાધાન્ય છતાં–તેનો ક્રમ વ્યવસ્થિત નથી, કારણ કે તેમાં જુદા જુદા વિષયને લગતી પ્રસંગપ્રાપ્ત ચર્ચા થયેલી છે; જ્યારે અંગબાહ્ય ગ્રંથોમાં તેમ નથી. તેમાં તો વિધ્યનિરૂપણ મુખ્ય છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy