SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૫]. ઇત્યાદિ). આમાં વિશેષતઃ કેવલિસમુદ્ધાતની ચર્ચા વિસ્તારથી છે (૨૧૬૮-૨૧૭૫), તેમાં સયોગી તો સિદ્ધ થાય નહિ તેથી કરીને ક્રમે મન, વચન અને કાયયોગનો નિરોધ કરી અયોગી થયે તે સિદ્ધ થાય છે એમ જણાવ્યું છે, કારણ કે હવે નવા કર્મનું યોગ દ્વારા આગમન બંધ થાય છે અને જૂનાં કમને ક્રમે કરી ક્ષીણ કરી નાખે છે, અને સાકાર ઉપયોગમાં વર્તમાન સિદ્ધ થાય છે (૨૧૭૫). ગ્રંથને અંતે સિદ્ધના સ્વરૂપની ચર્ચા છે (૨૧૭૬). પ્રજ્ઞાપના સૂત્રની વ્યાખ્યાઓ (૧) આચાર્ય હરિભદ્રકૃત પ્રદેશવ્યાખ્યા આ પ્રદેશવ્યાખ્યા પ્રસિદ્ધ ભવવિરહ હરિભદ્રસૂરિએ લખી છે. પ્રારંભમાં “પ્રસાવનાલ્યોવા gઢેરાનુયોનઃ પ્રખ્યતે” કહ્યું છે તેથી પ્રજ્ઞાપનાના અમુક અંશોનો અનુયોગ- વ્યાખ્યાન અભિપ્રેત છે એમ સ્પષ્ટ છે. આચાર્ય હરિભદ્ર પ્રજ્ઞાપનાનો ઉપાંગ તરીકે ઉલ્લેખ કરે છે, પરંતુ આચાર્ય મલયગિરિની જેમ તે “સમવાયાંગનું ઉપાંગ છે તેમ જણાવતા નથી. આથી અમુક અંગનું અમુક ઉપાંગ એવી વ્યવસ્થા કયારેક આચાર્ય હરિભદ્ર પછી, પણ આચાર્ય મલયગિરિ પૂર્વે, થઈ ગઈ હશે એમ માનવું રહ્યું. વળી, આ વ્યાખ્યાને “અવચૂણિકા' એવું નામ પણ આપી શકાય તેમ છે, કારણ કે આચાર્ય હરિભદ્ર એક ઠેકાણે—“મમતિ ન ૩ વચૂ#િામાત્રવિતિ–પૃ. ૨૮, ૧૧૩આ પ્રમાણે જણાવે છે. આચાર્ય હરિભદ્ર આ પ્રદેશવ્યાખ્યા લખી તે પહેલાં પણ કોઈએ પ્રજ્ઞાપના ઉપર નાની-મોટી ટીકા અવશ્ય લખી હશે, અને તે ચૂણિરૂપે હશે એમ જણાય છે, કારણ કે ઘણે ઠેકાણે – uત મતિ”, “જિમુદં મવતિ’, ‘મયમત્ર માવાર્થ:', “ફુમત્ર હૃદયે”, “દત્તેસિં માયા” ઇત્યાદિ શબ્દો સાથે કે તે વિના જે વિવરણ મળે છે તે પ્રાકૃતમાં હોય છે અને કવચિત સંસ્કૃતમાં પણ મળે છે.–પૃ૦ ૧૨, ૧૬, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૭, ૨૮, ૩૦, ૩૫, ૪૧, ૧૨, ૬૮, ૬૯, ૭૦, ૭૨, ૧૦૯, ૧૧૨ ઇત્યાદિ. એ ચૂર્ણિકાર કોણ હશે તે કહેવું કઠણ છે, પણ સંભવ એવો છે કે તે આચાર્ય હરિભદ્રના ગુરુ હોય, કારણ કે “પુર્વ તાવત્ પૂછવા ચાવલ” પૃ. ૭૫, “ગુરવસ્તુ” ૧૧૮, “રૂટ્ટ તુ પૂSચાર” પૃ૦ ૧૨૨, “અત્ર જુવો વાચક્ષતે પૃ૦ ૧૪, ૧૪૭, “ગુરવ વ્યાવતિ ' પૃ. ૧૫ર–એવા ઉલ્લેખો આ વ્યાખ્યામાં મળે છે. વળી, એ વાત તો નિશ્ચિત જ છે કે આની ઉક્ત ચૂણિ સિવાય પણ અન્ય એક કે અનેક વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર પૂર્વે હશે જ, કારણ કે પ્રસ્તુત વ્યાખ્યામાં મતાંતરની વ્યાખ્યાનાં અનેક સ્થળો નોંધ્યાં છે, જેમાં એવાં કેટલાંક સ્થળો હોવાનો સંભવ ખરો કે જે અન્ય ગ્રન્થોની વ્યાખ્યામાંથી લીધાં હોય. ઉપરાંત, એવાં પણ અનેક સ્થળો છે, જે આ જ ગ્રંથની વ્યાખ્યાની સૂચના ૧. આચાર્ય હરિભદ્રના વિસ્તૃત પરિચય માટે “સમદશ આચાર્ય હરિભદ્ર' જેવું, ૨, ચૂર્ણનો ઉલ્લેખ આચાર્ય મલયગિરિ પણ કરે છે. –ત્ર ૨૬૯, ૨૭૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy