SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ •••[ ૧૪૯ ]... ગર્ભાધાન થતું નથી,પ કારણ કે દેવોને વૈક્રિયશરીર છે અને તેની ઉત્પત્તિ ગર્ભમાં નથી પણુ ઔપપાતિક છે. જ્યાં સ્પર્શાદિથી પ્રવિચારણા હોય છે તે તે દેવલોકમાં દેવી નથી હોતી, પણ જ્યારે ઇચ્છા થાય છે ત્યારે અપ્સરાઓ વિકર્વણા કરીને હાજર થાય છે. અને તે દેવો અનુક્રમે સ્પર્શાદિથી જ સંતુષ્ટિ અનુભવે છે (૨૦૫૩[૫]); તે જ તેમની પરિચારા છે. તે દેવોમાં પણ શુવિસર્જન છે, પરંતુ ટીકાકારે ખુલાસો કર્યો છે કે “ પુન્નતંત્રમાં વિજ્યપ્રમાાવસેયઃ '' અર્થાત્ દેવ-દેવીનો સંપર્ક નહીં છતાં દેવીમાં દૈવી પ્રભાવને ક્રમે શુક્રસંક્રમણ થાય છે અને તેનું પરિણમન પણુ તેમના રૂપલાવણ્યમાં વૃદ્ધિકારક બને છે (ટી૰ પત્ર ૫૫૧). આરણથી માંડીને માત્ર મન:પરિચારણા છે અને તેથી તે તે દેવોની પરિચારણાની ઇચ્છા થયે દેવીઓ પોતાને સ્થાને રહીને જ મનોરમ શૃંગાર ધારણ કરે છે અને તે તે દેવો પોતાને સ્થાને રહ્યા રહ્યા જ મનઃસંતુષ્ટિ મેળવે છે (ર૦પર[૬]). અને દેવીઓ પણ પોતાને સ્થાને રહી રહી રૂપ લાવણ્યવતી બની જાય છે. અંતે દેવોનું પરિચારણાની દૃષ્ટિએ અપબહુત્વ વિચારાયું છે; તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિંગત ક્રમ આવો છે : અપરિચારકો, મનઃપરિચારકો, શબ્દપરિચારકો, રૂપપરિચારકો, સ્પર્શપરિચારકો, કાયપરિચારકો (૨૦૧૩). પરંતુ પરિચારણામાં ઉત્તરોત્તર સુખની વૃદ્ધિની દૃષ્ટિએ આથી ઊલટો ક્રમ છે; સૌથી ઓછું સુખ કાયપરિચારણામાં, પણ સૌથી વધારે સુખ અપરિચારણાવાળા દેવોમાં છે. (ટી॰ પત્ર પપર). ૩૫ મું ‘વેદના’ પદ્મ : જીવોની વેદના ૧ટૂંડકોમાં જીવોને નાના પ્રકારની વેદનાનો જે અનુભવ થાય છે, તેની ચર્ચા આ પદમાં છે. વેદનાના અનેક રીતે પ્રકારો બતાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે છે : * $. (૧) શીત, ઉષ્ણુ, શીતોષ્ણુ (૨૦૧૫). (ચ) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ (ર૦ ૬૬). (૩) શારીરિક, માનસિક, શારીરિક-માનસિક (૨૦૬૩). (૪) સાતા, અસાતા, સાતાસાતા (૨૦૬૬). (૫) દુ:ખા, સુખા, અદુઃખા-અસુખા (૨૦૬૯). (૬) આલ્યુપગમિકી, ઔપક્રમિકી (૨૦૭૨). (૭) નિદા, અનિદા (૨૦૭૭).૨. .. ૮૫ વર્લ્ડ તે યિરારીરાન્તîતા કૃતિ ન ર્માધાનન્હેતવઃ '' ~~ ટી, પત્ર ૫૫૦. આમ સહસ્રાર સુધી દેવીઓ જાય છે. અને કયાં સુધી કેટલા આયુવાળી દેવીઓ ાય તે માટે જુઓ ટીકા, પત્ર પપર અ. ૧. જુદાં જુદાં નરકો સંબંધી વેદના વિષે સૂ. ૨૦૫૭ ની ટીકામાં—ત વત્સૂત્રં વિન્તનેવિકૃતિયા યતે 1 યોનિદ્વાવાર્યા: પુત્તોતદ્વિષયષ્ટિપિ સૂત્ર ઇન્તિતતસન્નતા ...ચાર્ય મલયગિરીએ આ પ્રમાણે કહ્યું છે. ટીકા, પત્ર ૫૫૫. ૨. ભગવતી, ૧૯. ૫. ૬૫૬ માં આ જ બાબત છે અને તે માટે પ્રજ્ઞાપનાની ભલામણ છે. અહીં મલયગિરિ કહે છે-- નિવાનિવાવિતસ્તુ વિરાજો ન સગૃહીતો વિચિત્રત્યાત સૂત્ર તેઃ '—-પત્ર ૫૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy