SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૩૨]... છે. વળી, એ સૂત્રમાં આવતી કર્મના બદ્ધ, પૃષ્ટ, સંચય વગેરેની વાત પણ એ સૂત્રને કાલની દષ્ટિએ પછીનું સૂચવે છે (૧૬૭૯). કર્મનો અનુભાવ –વિપાક વર્ણવતાં જીવે બાંધેલાં કર્મ-સંચિત કરેલાં કર્મ-વિપાક દેવા તૈયાર થાય એટલે કે ઉદયમાં આવે તેટલા માત્રથી કામ સરતું નથી, પણ વિપાક દેવા માટે તેને ગતિ, સ્થિતિ, ભવ અને પુલની પ્રાપ્તિ પણ જરૂરી છે અને એ કર્મની ઉદીરણા પણ જરૂરી છે. આટલું હોય ત્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મનો અમુક વિપાક હોય છે–એમ જણાવ્યું છે (૧૬૭૯-૮૬). જ્ઞાનાવરણીય અનુભાવ દશ પ્રકારે છે (૧૯૭૯) : ૧. શ્રોત્રનું આવરણ ૨. શ્રોત્રવિજ્ઞાનનું આવરણ ૩. નેત્રનું આવરણ ૪. નેત્રવિજ્ઞાનનું આવરણ ૫. ધ્રાણનું આવરણ ૬. ધ્રાણુવિજ્ઞાનનું આવરણ ૭. રસાવરણ ૮. રસવિજ્ઞાનાવરણ ૯. સ્પર્શાવરણ ૧૦. સ્પર્શવિજ્ઞાનાવરણ આ બધાં આવરણના ઉદયથી જાણવાનું જાણી શકાતું નથી; જાણવાની ઇચ્છા છતાં જણાતું નથી. જાણ્યા છતાં તેનું જ્ઞાન રહેતું નથી; જ્ઞાન ઉત્સન્ન થાય છે. પછીના કાળે આ પ્રકારના અનુભાવની ચર્ચા બંધ પડી છે. વળી, એ પણ ધ્યાન દેવાની વાત છે કે, આમાં મન અને તેના વિજ્ઞાનનું આવરણ નોંધ્યું નથી. વળી, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાનના આવરણની પણ આમાં નોંધ નથી, એ સૂચક છે. તેથી એમ નક્કી થાય છે કે આ સૂત્ર અત્યંત પ્રાચીન સ્તરનું અને કર્મસિદ્ધાંતની પરિભાષામાં પૂર્તિ થયા પૂર્વેનું છે. આચાર્ય મલયગિરિએ આ બાબતમાં કશો ખુલાસો કર્યો નથી. દર્શનાવરણીય કર્મનો નવ પ્રકારનો અનુભાવ આ છે (૧૬ ૮૦): ૧. નિદ્રા ૫. મ્યાનદ્ધિ ૨. નિદ્રાનિદ્રા ૬. ચક્ષુદર્શનાવરણ ૩. પ્રચલા ૭. અચક્ષુર્દર્શનાવરણ ૪. પ્રચલાપ્રચલા ૮. અવધિદર્શનાવરણ ૯. કેવલદર્શનાવરણ. આ સૂત્રમાં અવધિ આદિ દર્શનોની નોંધ લેવામાં આવી છે, પરંતુ પૂર્વ સત્રમાં અવધિ આદિ જ્ઞાનોને બાકાત રાખ્યાં છે, એ સૂચક વસ્તુ છે. સાતવેદનીયનો અનુભાવ આઠ પ્રકારે આ પ્રમાણે છે (૧૬૮૧ [૧]): ૧. મનોજ્ઞ શબ્દ ૫. મનસ સ્પર્શ ૧૩. અનુભાવ વિષેનું આ આખું પ્રકરણ (૧૬૭૯-૮૬) પ્રાચીન સ્તરનું છે. ૧૪. ટીકાકાર વ્યાખ્યા ભેદ નોંપે છે. પત્ર ૪૬૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy