SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૨૦]... સમજવાનું છે કે તે કાળમાં ક્રિયાવાદ શબ્દ કર્મને માનનાર માટે અને અક્રિયાવાદ શબ્દ તેને નહિ માનનાર માટે પ્રચલિત હતો. પરંતુ ક્રમે કરી ક્રિયા શબ્દ ઉપરાંત કર્મ શબ્દનો પણુ વ્યવહાર થવા લાગ્યો, ત્યારે પ્રારંભમાં તો ક્રિયાવાદ અને કર્મવાદ અને શબ્દોનો એકબીજાના પર્યાયરૂપે એકસાથે પ્રયોગ થવા લાગ્યો. અને જ્યારે એ નક્કી થઈ જ ગયું કે બન્ને એકાર્થક જ છે ત્યારે ક્રિયાવાદ શબ્દ . તો ભૂંસાઈ જ ગયો ,અને કર્મવાદ શબ્દ જ પ્રચલિત થઇ ગયો. આમ થવાનું એક બીજું કારણ એ પણ છે કે કર્મવિચારની સુક્ષ્મતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ જૂના ક્રિયાવિચારથી તે દૂર પણ થતો ગયો. એટલે અંતે જૂના ક્રિયાવિચારની પદ્ધતિ સાથે એની સંગતિ રહી નહિ, પરિણામ એ આવ્યું કે ક્રિયાવિચાર એ કર્મવિચારની પૂર્વભૂમિકારૂપે એટલે કે એક ઐતિહાસિક કડીરૂપે જ આપણી સમક્ષ ઉપસ્થિત છે. અને તે કેવો હતો તેની ઝાંખી પ્રસ્તુત પ્રજ્ઞાપનાનું ક્રિયાપદ, સૂત્રકૃતાંગગત યિાસ્થાન (૨.૨) અને પ્રત્યાખ્યાનક્રિયા (૨.૪) એ બે અધ્યયનો તો કરાવે જ છે, ઉપરાંત ભગવતીમાં અનેક પ્રસંગે જે ક્રિયા અને ક્રિયાવાદની ચર્ચા કરવામાં આવી છે તે પણ તે કાળે ક્રિયાચર્ચાનું કેટલું મહત્ત્વ હતું તે સૂચવી જાય છે. ક્રિયાવિચારનું મહત્ત્વ ઘટી કર્મવિચારનું મહત્ત્વ વધ્યું, એ બાબતમાં એક એ પણ પ્રમાણ છે કે ખેંડાગમમાં કર્મવિચારણા તો ભરી પડી છે, પણ આગમોમાં—ખાસ કરી પ્રજ્ઞાપના અને ભગવતીમાં જે પ્રકારની ક્રિયાવિચારણા છે તેવી વિચારણા ષટ્યુંડાગમમાં જોવામાં આવતી નથી. વળી, એ બાબત પણ જાણવી જરૂરી છે કે ક્રિયાવિચારકોમાં એવા પણ હતા, જેઓ ક્રિયાથી જુદું કોઈ કર્મરૂપ આવરણ માનતા નહિ. તેમના જ્ઞાનને વિભંગનાન કહેવામાં આવ્યું છે. આ સૂચવે છે કે પૌલિક કર્મ, જે આત્માના આવરણુરૂપે કર્મવાદમાં જૈન આગમમાં મનાયું છે, તે મૂળે ક્રિયાવિચારના પ્રારંભમાં મનાતું ન હતું. જો ક્રિયા-કર્મનું ફળ મળવાનું હોય અને તે પણ લાંબા કાળે, તો ક્રિયા તો નષ્ટ થઈ જતી હોવાથી ક્રિયાજન્ય એક સંસ્કાર, વાસના કે આવરણુરૂપે કર્મ માનવામાં આવ્યું અને તે કર્મ પૌલિક હોવું જોઈ એ એવું પણ ક્રમે સ્થિર થયું. આમ ક્રિયા અને કર્મે મૂળે એકબીજાના પર્યાયો હતા તે ભિન્નાર્થક થઈ ગયા. તે ભિન્નાર્થક થયા પહેલાંની ભૂમિકા એ છે કે પ્રાણાતિપાતને જ ક્રિયા કહી તે પ્રથમ ભૂમિકા (૧૫૭ર) અને પ્રાણાતિપાત વડે થતી ક્રિયા (=કર્મ) તે બીજી ભૂમિકા (૧૫૭૪) અને પછી ક્રિયા સ્થાને કર્મનો પ્રયોગ, એ તીજી ભૂમિકા (૧૫૮૫). તેથી કર્મવાદનો પર્યાયવાચી યિાવાદ શબ્દ પણ ભૂંસાઈ ગયો અને માત્ર કર્મવાદ શબ્દ જ દાર્શનિકોમાં પ્રચલિત થઈ ગયો. દષ્ટિવાદમાં પૂર્વગતમાં ક્રિયાવિશાલ નામે એક પૂર્વ છે, પણુ કર્મપ્રકૃતિનો સંબંધ આગ્રાયણી. પૂર્વે ષટ્યુંડાગમમાં જણાવાયો છે?, તે પણ સૂચવે છે કે પ્રથમ ભૂમિકામાં ક્રિયા જ કર્મ હતું અને ક્રમે કરી ક્રિયાથી કર્મ જુદું થઈ ગયું. Ο પ્રસ્તુત પ્રજ્ઞાપનાનો ક્રિયાવિચાર૧ર પણ ક્રિયા વિશે અનેક રીતે થયેલી વિચારણાનો સંગ્રહ ૭. આચારાંગસૂત્રનો પ્રારંભિક ભાગ અને દીધ॰ નું સોણદંડસુત્ત, બન્નેમાં બન્ને શબ્દો એકસાથે ૮. ભગવતીમાં જણાવ્યું છે કે પ્રથમ ક્રિયા પછી વેદના. અને શ્રમણને પણ પ્રમાદ અને ચોગને કારણે ક્રિયા વપરાયા છે. છે. સ૦ ૧૫૧, ૧૫૨, (૩. ૩.). વળી, કહ્યું છે કે ક્રિયા છે ત્યાં સુધી મુક્તિ પણ નથી.—સ૦ ૧૫૩. ૯. ૧. ૧૦૬ ૩૦. ૧, ૩. ૩; ૭, ૧; ૭, ૧૦૬ ૨. ૮; ૧૮. ૮; ૬. ૩. જુઓ ભગવતીસાર, ૫૦ ૩૪, ૧૯૭, ૧. સ્થા ૫૪૨. ૧૧. પુસ્તક ૯, ત્ર ૪૫, પૃ૦ ૧૩૪. ૧૨, ક્રિયાવિચાણા માટે જુઓ—સ્થાનાંઞ સમવાયાંગ, પૃ॰ ૪૧૦, જ્યાં સમગ્રભાવે ઊઁચાવિચાર સંકલિત કરવામાં આવ્યો છે. અને સમજૂતી પણ કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy