SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫]... અછવગતિ પરિણામના જે બે પ્રકાર છે તે આ છે–પૃશદ્ગતિ પરિણામ અને અસ્પૃશગતિપરિણામ (૯૪૯). જૈન માન્યતા પ્રમાણે આકાશપ્રદેશ તો સર્વત્ર વિદ્યમાન છે જ, પરંતુ પ્રસ્તુતમાં તે પ્રદેશને સ્પર્શ કરીને અને તે વિના–એમ બે પ્રકારની ગતિ છે એવો અર્થ નથી સમજવાનો એમ આચાર્ય મલયગિરિનો અભિપ્રાય છે. પણ અન્ય મત પ્રમાણે તેથી ઊલટું છે. તેને વિષે મલયગિરિ કહે છે કે આ કેમ સંભવે તે અમને સમજાતું નથી–અન્ય તુ ચક્ષતે स्पृशद्गतिपरिणामो नाम येन प्रयत्नविशेषात् क्षेत्रप्रदेशान् स्पृशन् गच्छति, अस्पृशद्गतिपरिणामो येन क्षेत्रप्रदेशानस्पृशन्नेव गच्छति-तन्न बुध्यामहे, नभसः सर्वव्यापितया तत्प्रदेशसंस्पर्शव्यतिरेकेण गतेरसम्भवात् । बहुश्रुतेभ्यो वा परिभावनीयम्" प्र० टीका, पत्र २८९ अ। આચાર્ય મલયગિરિએ સ્પૃશદ્ગતિ અને અસ્પૃશદ્ગતિનું દષ્ટાંત આપ્યું છે કે તળાવમાં જ્યારે દીકરી તિરછી દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તે વચ્ચે વચ્ચે જલને સ્પર્શ કરતી અને સ્પર્શ ના કરતી એમ જાય છે. પ્રસ્તુતમાં મતાન્તર થવાનું કારણ એ જણાય છે કે આકાશનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું અને તેના પ્રદેશોને સ્વીકારવામાં આવ્યા, તે પહેલાંની પ્રસ્તુત ચર્ચા પરંપરામાં થઈ હશે તે એમની એમ ચાલી આવી છે. આ અસંગતિનો તાર્કિક ખુલાસો કરવાનો પ્રયત્ન ઉપાધ્યાય યશોવિજયજીએ અસ્પૃશતિવાદમાં કર્યો છે. આ ખુલાસો એટલા માટે પણ જરૂરી હતો કે એક તરફ એમ માનવામાં આવ્યું કે સિદ્ધના જીવો એક જ સમયમાં સિદ્ધિસ્થાને પહોંચી જાય છે, પરંતુ બીજી તરફ એમ કહેવામાં આવ્યું હતું કે જીવના મૃત્યુસ્થાન અને સિદ્ધિસ્થાન વચ્ચે અસંખ્યાત આકાશપ્રદેશોનું અંતર હોય છે. અને ગતિનિયમ એવો છે કે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પહોંચતાં એક સમય લાગે છે. એટલે સિદ્ધિગતિમાં પ્રસ્થાન કરનારા જીવને ઓછામાં ઓછા અસંખ્યાત સમય તો થવા જ જોઈએ. આ અસંગતિ ટાળવા માટે અસ્પૃશદ્ગતિનો આશ્રય લેવામાં આવ્યો છે. આ સમગ્ર ચર્ચા એક મુદ્દા ઉપર તો આપણું ધ્યાન કેન્દ્રિત કરે જ છે કે જૈનધર્મની માન્યતાઓમાં કોઈ એક જ કાળે બધું કહેવાઈ ગયું હતું અથવા તો મનાઈ ગયું હતું એમ માની લેવાનું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy