SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૩૫]... સાતમું “ઉશ્વાસ' પદઃ જીવોના શ્વાસોશ્વાસ આપણે જાણીએ છીએ કે જીવનધારણ માટે શ્વાસોચ્છવાસનું ઘણું મહત્વ છે. પ્રસ્તુત સાતમાં પદમાં સિદ્ધ સિવાયના બધા જ સંસારી જીવોના શ્વાસોચ્છવાસના કાલની ચર્ચા છે. આ સમગ્ર ચર્ચા ઉપરથી જે એક વાત ફલિત થાય છે તે તરફ આચાર્ય મલયગિરિએ ધ્યાન દોર્યું છે અને તે યથાર્થ જ છે કે જેમ દુઃખ વધારે તેમ શ્વાસોશ્વાસ વધારે અને અત્યંત દુઃખીને તો તે નિરંતર જ ચાલ્યા કરે; અને જેમ સુખ વધારે તેમ શ્વાસોચ્છવાસની ક્રિયાનો વિરહકાલ વધારે, કારણ કે શ્વાસોચ્છવાસની ક્રિયા એ પણ દુઃખ છે. આ વાત આપણા અનુભવની છે, અને શાસ્ત્ર પણ તેનું સમર્થન કરે છે. આચાર્ય મલયગિરિએ પ્રસ્તુત ચર્ચાને આધારે જે એક નિયમ તારવી આપ્યો છે તે એ છે કે દેવોમાં જેમની જેટલા સાગરોપમની સ્થિતિ છે તેમનો તેટલાં પખવાડિયાં શ્વાસોશ્વાસનો વિરહકાળ સમજવાનો છે. ૩ મૂળ સૂત્રમાં “માનંતિ વા વાળાÉતિ વા કાંતિ વા નીતિ વા” એવો પાઠ છે. આચાર્ય મલયગિરિ મામતિ અને ગતિને એકાર્થિક ગણે છે અને મંતિ અને નીતિને પણ એકાર્થક ગણે છે. પણ તેમણે આ બાબતમાં અન્યનો મત પણ નિર્દિષ્ટ કર્યો છે, જેમાં પ્રથમ બે પદોને આતરિક શ્વાસોચ્છવાસક્રિયાના અર્થમાં અભિપ્રેત કરવામાં આવ્યા છે.* જીવોની શ્વાસોચ્છવાસકિયાનો વિરહકાલ ૧. નારક સતત ચાલ્યા કરે છે. ૨. અસુરકુમાર જન્ય સાત સ્તોક, ઉત્કૃષ્ટ પખવાડિયાથી થોડો વધારે. ૩. નાગકુમાર યાવત સ્વનિતકુમાર જધન્ય સાત સ્તોક, મુહૂર્તપૃથકત્વ ૪. તિર્યંચ અને મનુષ્ય વિમાત્રાએ = અનિશ્ચિત, વિમાત્રાએ ૫. વાણુમંતર જધન્ય સાત સ્તોક, મુહૂર્તપૃથર્વ ૬. જ્યોતિષ્ક જધન્ય મુહૂર્તપૃથકવ ૭. વૈમાનિક ૩૩ ૫ખવાડિયાં (એ) ૧. સૌધર્મ ૨. ઈશાન , થી અધિક ૩. સનકુમાર જઘન્ય બે પક્ષ ૪. મહેન્દ્ર ,, બે પક્ષથી અધિક , છ પખવાડિયાં થી અધિક १. "अतिदुःखिता हि नैरयिकाः, दुःखितानां च निरन्तरं उच्छ्वासनिःश्वासी, तथा लोके दर्शनात् ।" प्रशापनाटीका, पत्र २२० ब । "सुखितानां च यथोत्तरं महानुच्छवासनिःश्वासक्रियाविरहकालः।" प्रशापनाटीका, पत्र २२१ भ. 3. यथा यथाऽऽयुषः सागरोपमवृद्धिस्तथा तथोच्छ्वासनिःश्वासक्रियाविरहप्रमाणस्यापि पक्षवृद्धिः । ૪. શાપનાવો, પત્ર ૨૨૦ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy