SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન છેલ્લાં ચારેક વર્ષથી આપણે આગમોના અભ્યાસી પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકની સેવાઓ પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી પાસેથી ઉછીની લીધી, ત્યારથી આપણું આગમ પ્રકાશનના કાર્યને વિશેષ વેગ મળ્યો છે, એમાં શંકા નથી. સંસ્થાના આગમ પ્રકાશન કાર્યમાં આવો સહકાર આપવા બદલ અમે પંડિત શ્રી અમૃતભાઈ પ્રત્યે કૃતજ્ઞતાની ઊંડી લાગણી દર્શાવીએ છીએ. તેમ જ પ્રાકૃત ટેસ્ટ સોસાયટી તથા આ વિભાગમાં કામ કરતા પંડિત શ્રી શાસ્ત્રી હરિશંકર અંબારામ પંડ્યા પ્રત્યે પણ અમે કૃતજ્ઞતા દર્શાવીએ છીએ. આ ગ્રંથમાળાનો પ્રથમ ગ્રંથ પ્રકાશિત થયા પછી અત્યાર સુધીમાં આ કાર્યને માટે અમને નીચે મુજબ સહાયતા મળી છે, તે સર્વે દાતાઓના અમે આભારી છીએ? પ્રિન્સેસ સ્ટ્રીટ લોહાર ચાલ જૈન સંઘ : ૨૦ ૨,૫૦૦] પરચૂરણ રકમો : ૨૦ પ૨૭• ૬૪ ખૂબ ધીરજ અને ખંતપૂર્વક આ ગ્રંથમાળાના સુઘડ અને સ્વચ્છ મુદ્રણકાર્ય માટે મૌજ પ્રિન્ટિગ બ્યુરોના સંચાલકોનો અમે આભાર માનીએ છીએ. આગમ પ્રકાશનના કાર્ય અંગે જરૂરી સલાહ-સૂચના આપવા બદલ, અમે આગમ પ્રકાશન સમિતિના નીચેના સભ્યોના આભારી છીએ. ૧. ડૉ. જયંતિલાલ સુરચંદ બદામી ૫. શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા ૨. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ૬. શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ ૩. શ્રી રતીલાલ ચીમનલાલ કોઠારી ૭. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ મંત્રીઓ ૪. શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ ૮. શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી ) ૯. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (સહમંત્રી, આગમ પ્રકાશન વિભાગ) વડોદરા શ્રી સંઘનો વિશેષ આભાર આ ગ્રંથના પ્રકાશનના આજના અવસરે, છ વર્ષ પહેલાં (વિ. સં. ૨૦૧૯ ના કારતક સુદિ પ અને તે પછીના દિવસોએ) કપડવંજના શ્રીસંઘે પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજના ૬૮ મા જન્મદિન નિમિત્તે યોજેલ ધર્મમહોત્સવનું સહેજે સ્મરણ થઈ આવે છે. એ પ્રસંગે કપડવંજના શ્રીસંઘે પૂજ્ય મહારાજશ્રી પ્રત્યેની ભક્તિ નિમિત્તે, પૂજ્ય મહારાજશ્રી ઇચછે તે કાર્ય માટે પંદર હજાર રૂપિયા અર્પણ કરવાની જાહેરાત કરી હતી. પૂજય મહારાજશ્રીએ એ જ વખતે એ રકમ આગમ પ્રકાશન યોજનાના પહેલા ગ્રંથ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપી દેવામાં આવે, એવી કપડવંજ શ્રીસંઘને ભલામણ કરી હતી. આજનો પ્રસંગ પણ કંઈક એવો જ છે. વડોદરા શ્રીસંઘની આગ્રહભરી વિનતિને સ્વીકારીને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ ગયું (વિ. સં. ૨૦૨૪નું) ચતુર્માસ વડોદરામાં રહ્યા. પૂજ્ય મહારાજશ્રીનું ચતુર્માસ વીસ વર્ષ બાદ વડોદરામાં થતું હોવાથી શ્રીસંઘમાં ખૂબ આનંદ અને ઉત્સાહ પ્રવર્તતો હતો. પૂજ્ય વયોવૃદ્ધ પંન્યાસજી મહારાજ શ્રી નેમવિજ્યજી, પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ચંદનવિજયજી તથા પૂજય મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજ સાથે વડોદરામાં ચતુર્માસ રહેલા પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી તથા પૂજ્ય મુનિવર્ય શ્રી ચંદ્રોદયવિજયજીએ આ ઉત્સાહને કંઈક રચનાત્મક રૂપ આપીને આ ચતુર્માસને ચિરસ્મરણીય બનાવવાનું વિચાર્યું. પૂર્ય પૂણ્યવિજયજી મહારાજને ચાલુ વર્ષના (વિ. સં. ૨૦૨૫ના) મા મહિનામાં દીક્ષા લીધાં સાઠ વર્ષ પૂરાં થતાં હતાં. એ પ્રસંગને અનુલક્ષીને તેઓએ પન્નવણાસ્ત્રના પ્રકાશનમાં સહાયરૂપે પોતાની ફૂલપાંદડી અર્પણ કરવાની વડોદરાના શ્રીસંઘને પ્રેરણા આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001063
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1969
Total Pages506
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy