SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય RA જ્યારે ભિન્ન ભિન્ન કુલની સૂત્રપ્રતિઓમાંથી તે તે સૂત્રપાઠને શોધી કાઢી તે તે સૂત્રપાઠોનો મેળ મેળવવા અમે પ્રયત્ન કર્યો છે. શ્રી માલધારી મહારાજે જે અધૂરાં વાચનાન્તરો કે પાઠાન્તરો આપ્યાં છે તે પણ અમે જુદા જુદા કુલની પ્રતિઓમાંથી મેળવીને, કોઈક જ સ્થાનને બાદ કરીને, લગભગ બધાં જ પૂરાં કર્યાં છે. આ પ્રમાણે સંશોધન માટે એકત્ર કરેલી અનુયોગકારસૂત્રની પ્રતિઓમાંથી અનેક સૂત્રપાઠોનું પૃથક્કરણ કરીને અમે અમારી પ્રસ્તુત અનુયોગકારસૂત્રની બૃહદ્વાચના તૈયાર કરી છે, અને આ બૃહદ્વાચનાને જ મલિક તરીકે માન્ય કરી છે. કારણ કે ચૂર્ણિકાર શ્રી જિનદાસગણિ મહત્તર તેમ જ બનેય ટીકાકારો આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ તેમ જ માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ, આ ત્રણેય વ્યાખ્યાકારો બૃહદ્વાચનાને અનુસરીને જ વ્યાખ્યા કરે છે. આમ છતાં શ્રી માલધારીજીએ આપેલા કેટલાક પાઠભેદો સંક્ષિપ્ત વાચનાની પ્રતિઓમાંથી જ ઉપલબ્ધ થતા હોઈને અમે સંક્ષિપ્ત વાચનાનું મૂલ્યાંકન ઓછું કરીએ છીએ તેમ તો નથી જ. અને આ કારણસર સંક્ષિપ્ત વાચનામાંના સંક્ષિપ્ત પાઠભેદોની નોંધ અમે અમારા સંપાદનમાં સ્થાનસ્થાનમાં પાદટિપ્પણીઓ દ્વારા આપી છે. પ્રસ્તુત ગ્રંથગત અનુયોગદારસૂત્રના સંપાદનમાં પાઠભેદ અને વાચનાભેદની દૃષ્ટિએ બધી જ પ્રતિઓનો એકધારો ઉપયોગ કરવા છતાં ઠં પ્રતિ પ્રાયઃ વિશિષ્ટ રીતે શબ્દ તેમજ પ્રામાણિક ઓવાળી હોઈને તેનો અમે મૌલિક પ્રતિ તરીકે આદર કર્યો છે. સં. પ્રતિને અમે ઉપર વિચિત્ર જણાવી છે તેનું કારણ તેમાંના કેટલાક સૂત્રપાઠો ચૂર્ણિપાઠ જેવા છે તે છે. ૦ પ્રતિ ઘણી અશુદ્ધ હોવા છતાં તેણે અમને કેટલાંય સ્થાનોમાં પાહનિર્ણય કરવામાં સહાય કરી છે. કેટલીક વાર એક જ કુલની પ્રતિઓમાંની કોઈ એકાદ પ્રતિએ પણ અમને માલધારી મહારાજે નોંધેલા પાઠભેદ આપ્યા છે. એ વસ્તુ અમે આપેલી પાદટિપ્પણીઓથી વિદ્વાનો જોઈ-જાણી શકશે. અનુયોગદારના સંપાદનમાં કેટલાક પાઠો અમે હસ્તપ્રતિઓને વશ રહીને જેમના તેમ રાખ્યા છે, તેમ છતાં તેવાં સ્થળો અમને ખૂંચતાં જ રહ્યાં છે. દા. ત. સૂત્ર ૨૫૨ થી ૨૫૯ સુધીનાં સૂત્રોમાં પુનામવિષયક ભાવોને લગતાં દિકસંયોગી ભાંગાનો નિર્દેશ કરતાં સૂત્રોમાં ડાઘ વચન આદિ, ત્રિકર્મયોગી ભાંગાનો નિર્દેશ કરતાં સૂત્રોમાં કવામિણ વનિ આદિ, ચતુઃસંયોગી ભાંગામાં ૩pg ૩g agg વગોવંસમેનિન્ને આદિ, તેમ જ પંચસંયોગી ભાંગામાં ૩EL ૩મg વવસમિg પારિમિયનિન્ને આદિ પદો સમસ્ત હોઈ અંતિમ પદની જેમ આદિનાં પદોમાં [ ન હોતાં બધે જ ચ હોવો જોઈએ. અર્થાત ૩૬-૩નિજ, ૩૨-૩મિય-खयनिप्फन्ने, उदइय-उवसमिय-खइय-खओवसमनिष्फन्ने, उदइय-उवसमिय-खइय-खओवसमिय-पारिणाમિનિજજે આ પ્રમાણે સૂત્રપાઠ હોવો જોઈએ અને તો જ નિ પદનો સંબંધ દરેક પૂર્વપદ સાથે બંધબેસી શકે. પરંતુ પ્રાચીન યુગથી લિપિના વિકારથી દરેક ભાંગામાં નો r થઈ ગયો છે એમ અમને લાગે છે. આવા વિકારો અન્ય સ્થળોમાં પણ થવા પામ્યા છે, છતાં તે બધાનો અહીં નિર્દેશ ન કરતાં આટલાથી જ અમે વિરમીએ છીએ. અનુયોગદ્વારની પ્રાચીન પ્રતિઓમાં કેટલેક ઠેકાણે વતUાં રહું જી રેપ ઇત્યાદિ તથ આદિ વ્યંજનપ્રધાન પ્રયોગવાળાં સૂત્રપદો જોવામાં આવે છે, તેમ છતાં આજના પ્રાકૃત વિદ્વાનો એમ માને છે કે આ પ્રયોગો વિકૃત થઈ ગયા છે અથવા લિપિવિકારમાંથી જન્મ્યા છે, પરંતુ આ માન્યતા અમારી દૃષ્ટિએ ભ્રામક છે. આજે ભાષ્ય, ચૂણિ આદિ પ્રાકૃત ગ્રંથોની સેંકડો પ્રાચીન પ્રતિઓમાં એકધારી રીતે આવા પ્રયોગો હજારોની સંખ્યામાં મળતા હોય ત્યારે આવી વિકૃતપણાની કલ્પના કરી લેવી એ અમારી નજરે વધારે પડતું છે. અમારી સૂત્રવાચનામાંથી, “બહુ તાંતે બળિયું એ ન્યાયે, આવા પ્રયોગો અમે ગૌણ કરી દીધા છે, છતાં પ્રાચીન પરંપરા સર્વથા ભુલાઈ ન જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy