SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ..[૪૨].... (૧) પ્રથમ પાંચજ્ઞાનનો નિર્દેશ સૌથી પહેલાં પાંચ જ્ઞાનનો નિર્દેશ આવે છે અને તેમાંના શ્રુતજ્ઞાન સાથે વ્યાખ્યય શાસ્ત્રનો સંબંધ બતાવવામાં આવ્યો છે (સ૧-૫). (૨) વ્યાખ્યય શાસ્ત્રના નામની વ્યાખ્યા પ્રસ્તુતમાં આવશ્યક, શ્રત, સ્કંધ અને અધ્યયન એવો પદદ કરી ગ્રંથના નામને સમજાવવાની પ્રતિજ્ઞા કરી છે અને ક્રમે કરી છે તે પદોને સમજાવ્યાં છે (સૂ) ૬-૯૦), પણ અધ્યયન પદને આ પ્રસંગે સમજાવ્યું નથી, કારણ કે અનુયોગનાં ચાર કારોમાંના દ્વિતીય નિક્ષેપ દ્વારના ભેદોમાં ઓઘ નામના ભેદના વિવરણપ્રસંગે અધ્યયન'નું વિવરણ (સૂ૦ પ૩૫) કરવાનું હોઈ અહીં તેને પુનરુતિના ભયે જતું કર્યું છે. આ પ્રકારનો ખુલાસો ટીકાકારે કર્યો છે તે ઉચિત જ છે (અનુ. ટી. પૃ. ૪૪ ). આ જ વસ્તુ આચાર્ય શ્રી જિનભદ્દે પણ કહી છે–વિશેષા , ગાત્ર ૮૯૮. (૩) ગ્રંથગત વિષયનું નિરૂપણ પિંડાર્થ (સમુદાયાર્થ) રૂપે, જેને અર્વાધિકાર એવું પણ નામ આપવામાં આવ્યું છે. આમાં આવશ્યકત્રનાં છયે અધ્યયનોમાં પ્રતિપાઘ વિષયો જે ક્રમે છે તેનો નિર્દેશ છે (સૂ૦ ૭૩). (૪) આવશ્યક સૂત્રનાં સામાયિક આદિ છ અધ્યયનોનાં નામ (સૂ) ૭૪). (૫) અનુયોગદ્વાર– છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક નામના અધ્યયનના ચાર અનુયોગદ્વારોનો-વ્યાખ્યાનાં કારોનો–નિર્દેશ કર્યો છે તે છે—(સૂ) ૭૫) ૧. ઉપક્રમ; ૨. નિક્ષેપ; ૩. અનુગમ અને ૪. નય. આ રીતે પ્રથમ પિંડાર્થ વર્ણવીને ગ્રંથના અવયવાર્થના નિરૂપણમાં આ ચાર હાર મુખ્ય છે, જેને આધારે ગ્રંથની વ્યાખ્યા કરવાની છે. તેથી એ ચારેય દ્વારોનું નિરૂપણ વિસ્તારથી કરવામાં આવ્યું છે. ૧. ઉપક્રમઃ પ્રથમ આમાં ઉપક્રમની જ વ્યાખ્યા (સૂ) ૭૫–૯૧) નામ, સ્થાપના, કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ કારોવડે કરવામાં આવી છે. પ્રસ્તુતમાં તો પ્રશસ્ત ભાવપક્રમ વિવક્ષિત છે, જે ગુરુ આદિને વિનયવડે પોતાને અનુકૂળ બનાવવારૂપ છે (સૂ) ૮૧). અને પછી ગ્રંથવિષે ઉપક્રમની બાબતમાં શા શા વિષયોનું નિરૂપણ જરૂરી છે, એટલે કે ઉપક્રમમાં કઈ કઈ બાબતો જ્ઞાતવ્ય છે, કે જેનું નિરૂપણ થાય તો ગ્રંથનો ઉપક્રમ થયો ગણાય, અને પછી વ્યાખ્યાના બીજા હાર નિક્ષેપની ચર્ચા સરલ થઈ પડે એ દર્શાવ્યું છે. સારાંશ કે ઉપક્રમનું પ્રયોજન છે કે ગ્રંથવિષેની પ્રારંભિક જ્ઞાતવ્ય બાબતોની ચર્ચા ઉપક્રમમાં કરી લેવી, જેથી ગ્રંથગત ક્રમિક વિષયોનો નિક્ષેપ કરવાનું સરલ થઈ પડે. અનુયોગમાં તેની પદ્ધતિ પ્રમાણે ઘણું જ વિસ્તૃત વિવરણ છે (સૂ૦ ૯૨–૫૩૩), પરંતુ તે આનુપૂવઆદિ ઉપક્રમના ભેદોના વિવરણમાં પ્રસ્તુત આવશ્યક સૂત્રનો ઉપક્રમ કેવી રીતે છે અથવા તો પ્રસ્તુત આવશ્યકનાં અધ્યયનોની બાબતમાં આનુપૂર્વી વગેરેનો વિચાર કેવી રીતે કરવો તે બતાવવામાં આવ્યું નથી, પણ સામાન્ય સર્વસંગ્રાહી ચર્ચા હાથ ધરવામાં આવી છે. ફક્ત ઉપક્રમના અર્વાધિકારસૂત્ર (પર૬)માં આવશ્યકના અર્થાધિકારોનું નિરૂપણ કર્યું છે. આથી વસ્તુતઃ આવશ્યકનો ઉપક્રમ કરવો હોય તો કેવી રીતે કરવો એ જાણવું જરૂરી છતાં તે બાબતનું વિવરણ કરવામાં આવ્યું નથી, તેથી પ્રસ્તુત શું છે તે ધ્યાનમાં આવતું નથી, પણ સામાન્ય સિદ્ધાંતનું જ્ઞાન માત્ર થાય છે. આથી આ બાબતને સ્પષ્ટ કરવા આચાર્ય જિનભદ્ર વિશેષાવશ્યક ભાગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy