SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. જૈન ધર્મના કેન્દ્રવર્તી સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ, અનેકાન્ત ધર્મ એ તો વહેતો પ્રવાહ છે. તે અનાદિ એ અર્થમાં હોઈ શકે છે કે , જયારથી મનુષ્ય છે ત્યારથી ધર્મ કોઈ ને કોઈ રૂપમાં હતો. બીજું કાંઈ નહિ તો યે પુત્રવાત્સલ્યને કારણે માનવજાત જીવતી છે—એ જ ધર્મના અસ્તિત્વનું મોટામાં મોટું પ્રમાણ છે. જીવનનો દોર હિંસા ઉપર નહિ પણ અહિંસા ઉપર ટકે છે, આ સિદ્ધાંતની પુષ્ટિ આપણું અસ્તિત્વ જ કરે છે. તે અહિંસાની મર્યાદા શી? એમાં કાળે કાળે નવું નવું વિચારાય–આચારાય એમ બને, પણ જીવન સર્વથા હિંસાને બળ ટકે નહિ. એ તો જ ટકે જો અહિંસાને તેમાં સ્થાન હોય, એટલી વાત તો નક્કી જ છે. મનુષ્ય જીવન ટકાવવા હિંસા કરી છે એ ખરું પણ એ હિંસા ઉત્તરોત્તર મર્યાદિત થતી ગઈ છે એ પણ એટલું જ સાચું છે. માત્ર શિકાર કરી જીવન પાવન કરનાર મનુષ્ય આજે એવી હિંસા જીવનપાવન અર્થે નથી કરતો. શિકાર આધુનિક કાળે પણ થાય છે. પરંતુ તે એક “હોબી' અથવા તો આનંદપ્રમોદ માટે અને તેમ કરનારની સંખ્યા પણ અત્યંત મર્યાદિત છે. આજે હિંસાના સાધનોનો જે વિકાસ થયો છે તે હિંસાઅહિંસાની સમગ્ર વિચારણાને પડકાર રૂપ બની ગયો છે. અને તે સંદર્ભમાં હિંસા-અહિંસાની વિચારણા પણ નવું ચિંતન માગે છે. શાકાહાર વિરુદ્ધ માંસાહારનો વિચાર વિશ્વના સંદર્ભમાં કરવો જરૂરી બની ગયો છે અને અનેક પ્રકારની રેસ-ઘોડાની હોય કે બીજી—તથા માનવ માનવ અથવા માનવ અને પશુ વચ્ચે હરીફાઈઓ થતી તેમાં હિંસા તરફ ધ્યાન ઓછું અપાયું છે પણ આમોદ-પ્રમોદના સાધનના લેખે તે બધું ઉપયોગી ગણાયું છે અને તે મોટા પાયા ઉપર ચાલી રહ્યું છે. આમાં અહિંસા દૃષ્ટિએ વિચારવું જરૂરી બની ગયું છે. આમ છતાં પ્રસ્તુતમાં જે કાળે ભગવાન મહાવીર થયા તે કાળે અહિંસા વિચારણા અને તેનું આચરણ કેવું હતું તે, તથા તેમણે તે કાળે શું કર્યું એ જો વિચારવામાં આવે તો આ કાળમાં જે અહિંસા-પરંપરા-આચાર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy