SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં સંશોધન પ્રવૃત્તિઓ ૦ ૫૫ સરદાર યુનિ.નું પ્રકાશન છે. શ્રી અરવિંદ અને શ્રી માતાજીના યોગ અને અધ્યાત્મને લોકભોગ્ય શૈલીમાં સરલ રીતે સમજાવવા અનેક નાની નાની પુસ્તિકાનું પ્રકાશન અમદાવાદની શ્રી અરવિંદ સોસાયટીએ કર્યું છે તે આવકાર્ય છે. તે જ રીતે પાટણની પુષ્ટિમાગીર્ય પાઠશાળાએ શ્રી વલ્લભાચાર્યના સિદ્ધાન્તોને સ્પષ્ટ કરવા અનેક નાની નાની પુસ્તિકાઓનું પ્રકાશન કર્યું છે. અને અહીં જ્યોતિષવિદ્યાને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરતા શ્રી મહેશ રાવલનાં પુસ્તકો—‘જ્યોતિષ અને વ્યવસાય', ‘અનુભૂત જ્યોતિષયોગ’, ‘સરલ જન્મકુંડલી સાધન’ આદિની નોંધ લેવી જરૂરી છે. શ્રી ધીરજલાલ ટો. શાહનું ‘જપધ્યાનરહસ્ય’ જપને સર્વાંગસંપૂર્ણ રીતે રજૂ કરે છે એ કહેવું પ્રાપ્ત છે. સસ્તુ સાહિત્ય મંડળ દ્વારા ‘સ્કંદપુરાણ’ના ગુજરાતી અનુવાદનો બીજો ભાગ પ્રકાશિત થયો છે. અનુવાદ શ્રી શાંતિલાલ ઠાકરે કર્યો છે. શ્રી દત્તાત્રય કેશવ કેળકરકૃત ‘સંસ્કૃતિસંગમ'નો ગુજરાતી અનુવાદ શ્રી ગોપાળરાવ વિદ્વાંસે કર્યો છે અને તે ભાષાનિધિ પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ થયો છે. નિધિની પસંદગી આવા ઉત્તમ ગ્રંથો માટે હોય છે તે આવકાર્ય છે. શ્રી પાંડુરંગ વૈ. આઠવલેએ ‘નંદકુમારાષ્ટક’ જે શ્રી વલ્લભાચાર્યની કૃતિ છે તેમાંના ભગવાન કૃષ્ણ માટેના એક એક વિશેષણનું રહસ્ય તેમની ઉદ્બોધક શૈલીમાં ઉદ્ઘાટિત કર્યું છે, તે ભક્તોને અવશ્ય પ્રેરણાદાયી બનશે. એ જ રીતે ‘વિષ્ણુસહસ્રનામ'માંથી પસંદગીનાં નામો લઈને પૂ. વિનોબાએ જે વિવેચન કર્યું છે તે યજ્ઞપ્રકાશને પ્રસિદ્ધ કર્યું છે, ‘એરિસ્ટોટલનું નિકોમેકિયન નીતિશાસ્ત્ર' એ પાઠ્યપુસ્તક છે એટલે લેખકે તેને પોતાની આગવી સૂઝથી સુગમ બનાવી દીધું છે. ‘કન્દૂશીયસનાં બોધવચનો' શ્રી મોહનલાલ દવેએ ગુજરાતીમાં ઉતારી આપ્યા છે, તે જિજ્ઞાસુને અવશ્ય બોધ આપે તેવાં છે. ‘ગાંધારી’ તથા ‘શ્રી કૃષ્ણનું વૈવાહિક જીવન અને રાસલીલા' એ બન્ને નાની પુસ્તિકાઓ શ્રી ઉપેન્દ્રરાય સાંડેસરાની રચના છે અને તે ભક્તિભાવે લખવામાં આવી છે. લોકસાહિત્યના સંગ્રહનું કામ ગુજરાતમાં શ્રી મેઘાણીએ કર્યું અને ત્યારથી એ પ્રકારના કાર્યનો ઉત્સાહ સતત ચાલુ રહ્યો છે, એ હકીકતનો ઇન્કાર થઈ શકે તેમ નથી. પણ એમાં જે સંશોધન જરૂરી છે તે હજી થયું નથી એ સ્વીકારવું જોઈએ. એના ઢાળોનો વ્યવસ્થિત અભ્યાસ કે તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy