SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૭ માથુરી લખાતા ગ્રંથમાં આ પ્રકારની અક્ષમ્ય બેદરકારી ચલાવી લેવા જેવી નથી. આ ઉપરાંત ગુજરાતના જ સુપુત્રો-ગુણમતિ અને સ્થિરમતિના બૌદ્ધ ગ્રંથો વિશે એમાં એક પણ શબ્દ કહેવામાં આવ્યો નથી. એટલું જ નહિ પણ ગુજરાતમાં જ રચાયેલ બોધિચર્યાવતાર અને શિક્ષાસમુચ્ચય જેવા બૌદ્ધ ગ્રંથો જે ભારતમાં અને વિદેશોમાં પણ પ્રતિષ્ઠિત થયા છે એટલું જ નહીં પણ જેમના અનુવાદો પણ તિબ્બતી આદિ ભાષામાં પણ થયા છે તે વિશે ‘સાહિત્ય દર્શન’માં ઉલ્લેખ પણ ન આવે તે ગુજરાતી પ્રજાના અજ્ઞાનમાં વધારો કરવાના પાપના ભાગી બનવા જેવું છે. આ ‘સાહિત્ય દર્શન'માં બૌદ્ધસાહિત્યને ફાળવવામાં આવેલ પાના તેના વિપુલ સાહિત્યને કોઈ પણ રીતે ન્યાય આપી શકે તેમ નથી. ભારતની પ્રાચીન સંસ્કૃતિ એ વૈદિક-બૌદ્ધ જૈન ધર્મની ત્રિવેણી છે. એવું સતત ભાન હોવું જરૂરી છે. પરંતુ સામાન્ય રીતે એ તરફ ભારતીય સાહિત્ય કે ધર્મના લેખકોનું ધ્યાન જતું નથી એટલે અહીં આટલી ટકોર કરવી જરૂરી માન્યું છે. ગત આખું વર્ષ ભગવાન મહાવીરના નિર્વાણના ૨૫૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે વ્યતીત થયું. તેમાં ગુજરાત સરકારે જે સાથ આપ્યો તે ખરેખર પ્રશંસા માગી લે છે પણ જૈનોના અમુક વર્ગે એ ઉજવણીનો વિરોધ કરી જે સંકુચિત માનસ બતાવ્યું તે ખરેખર ખેદ ઉપજાવે એવું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં સમગ્ર ભારતવર્ષના કલા અને સ્થાપત્યના વિદ્વાનોને આમંત્રીને ગોષ્ઠી થઈ તેના ફળરૂપે ગુજરાત સરકાર તરફથી Aspects of Jaina Art and Architecture નામે એક બૃહદ્ ગ્રંથ પ્રકાશિત થવામાં છે, તે સમગ્ર ભાવે ભારતીય કળામાં જૈન કળા-સ્થાપત્યનું મૂલ્યાંકન કરવામાં અત્યંત ઉપયોગી સિદ્ધ થશે, એમાં શક નથી. ગુજરાત સરકારની જ સહાયતાથી લા. ૬. વિદ્યામંદિરે એક સાહિત્ય-કલા પ્રદર્શન યોજ્યું હતું તેના અનુસંધાનમાં ગુજરાત સરકાર તરફથી બહુમૂલ્ય હસ્તપ્રતો આદિનું એક સૂચીપત્ર પણ પ્રકાશિત કરવાનું નક્કી થયું છે તે પણ અભિનંદનીય કાર્ય ગણવું જોઈએ. મહાભારતના અભ્યાસી શ્રી ઉપેન્દ્ર સાંડેસરાએ અનેક લેખો અને પુસ્તકોમાં મહાભારતનું નવનીત આપણી સમક્ષ રજૂ કર્યું છે તે આવકારવા યોગ્ય છે. પરંતુ સ્વયં મહાભારતના સમય વિશે જે ચર્ચા વિદ્વાનોમાં ચાલી રહી છે અને રામાયણની લંકા વિશે જે ચર્ચા થઈ છે તે સૂચવી જાય છે કે રામાયણ અને મહાભારતનો કોયડો હજુ ઉકેલાયો નથી. અને ખરી વાત તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy