SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ • માથુરી પ્રશંસા યોગ્ય ગુણોનું કીર્તન એ ભાવસ્તુતિ છે' (ભાષ્યગાથા ૧૯૧). કોઈને એવી મતિ થાય કે ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણકારક છે પણ તે બરાબર નથી, કારણ કે જિનોના ઉપદેશ પ્રમાણે તો છ પ્રકારના જીવોના હિતની ચિંતા કરવી એ જ મુખ્ય છે (૧૯૨). અને દ્રવ્યસ્તવમાં છ પ્રકારના જીવોના સંયમની વિરાધના થાય છે માટે જેને સંપૂર્ણ સંયમની જ પ્રધાનતા છે તેઓ (સાધુઓ) તો પુષ્પાદિ વડે અર્ચના કરવાનું એટલે કે દ્રવ્યસ્તવ કરવાનું પસંદ કરતા નથી (૧૯૩). પરંતુ જેઓ સંપૂર્ણ સંયમી નથી અને અંશતઃ વિરત કે અવિરત છે એટલે કે શ્રાવક છે તેમને માટે સંસારને ઓછો કરવામાં દ્રવ્યસ્તવ પણ નિમિત્ત બને છે. આમાં કૂપદષ્ટાંત છે (૧૯૪). આ કૂપદાંતનું સ્પષ્ટીકરણ છે કે જે ગામમાં પાણીનો સદંતર અભાવ હોય ત્યાં લોકો જોકે પાણીની તરસના માર્યા કૂવો ખોદવામાં તરસની વૃદ્ધિ થતી હોવા છતાં અને શરીરે મલવૃદ્ધિ હોવા છતાં ભવિષ્યના સુખની દષ્ટિએ કૂવો ખોદવાનું ચાલુ રાખે છે અને પાણી મળે તરસ છિપાવે છે અને મલ પણ દૂર કરે છે અને ભવિષ્યમાં તેમને અને બીજાને પણ સુખકર છે. તેમ દ્રવ્યસ્તવમાં થોડી જીવહિંસા થતી હોય છતાં પણ તે આત્માનાં પરિણામોને વિશુદ્ધ કરનાર હોઈ. અંતે તો અસંયમથી ઉપાર્જિત કર્મને અને બીજા કર્મને પણ ક્ષીણ કરનાર હોઈ દ્રવ્યસ્તવ શ્રાવકે કરવો જોઈએ, કારણ કે તે શુભ કર્મના બંધનું કારણ છે અને પ્રભૂતતર કર્મની નિર્જરા પણ કરે છે. પછીના કાળે આ વિશે લાંબી ચર્ચાઓ થઈ છે પણ તેનો મૂળ મુદ્દો આ જ છે. ૧. પ્રસ્તુતમાં આચાર્ય હરિભદ્રની વ્યાખ્યા સહિતની આવશ્યકનિર્યુક્તિની આવૃત્તિનો | ઉપયોગ કર્યો છે, પૃષ્ઠ ૪૯૨ અને તેથી આગળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy