SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ અને મહાવીર ૦૯ છે. એ માટે એકાંતવાસ, અપરિગ્રહી જીવન અને આત્મનિરીક્ષણની ટેવ– એટલું હોય તો પણ બસ છે. (૪) સંયમી જીવન : રામ અને કૃષ્ણના જીવનમાં સંન્યાસની વાત નથી. એટલે કે તેઓ સંસારને અસાર સમજીને ભર યુવાનવયે સંસારત્યાગના મહત્ત્વને સ્વીકારતા નથી. એટલું જ નહીં પણ પોતાના જીવનમાં સંન્યાસના એ પ્રકારના માર્ગને અપનાવતા પણ નથી. તેથી વિરુદ્ધ આ બંને મહાપુરુષો–ભગવાન મહાવીર અને બુદ્ધ સમાનભાવે સંસારને ત્યાજ્ય સમજે છે અને જ્યારે પણ વૈરાગ્ય પ્રગટે ત્યારે સંસારને છોડી જવામાં માને છે; અને પોતાના જીવનમાં ભરયુવાન વયે પત્નીને છોડીને સંયમી જીવન સ્વીકારે છે. આમ કરી તેઓ સંસારી જીવો માટે એક નવો જ આદર્શ ઉપસ્થિત કરે છે અને તે છે સંયમનો. ભોગનો માર્ગ સંસારમાં સામાન્ય છે, પણ જન્મીને જે માટે પ્રયત્ન કરવો પડે તે તો સંયમમાર્ગ છે. જીવન ભોગ માટે નથી પણ ત્યાગ માટે છે. અને તેની પ્રતીતિ કરાવવા પોતે ત્યાગમાર્ગનો અંગીકાર કરી ભોગવિમુખ આત્યંતિક રીતે થવાનો પ્રયત્ન કરી મોક્ષ મેળવે છે. બને સંયમી જીવન સ્વીકારે છે. છતાં પણ એક તફાવત બન્નેના સંયમમાર્ગમાં સ્પષ્ટ છે. ભગવાન મહાવીર આકરા નિયમનમાં માને છે અને બુદ્ધ મધ્યમમાર્ગે ચાલનારા છે. આથી બન્નેના સંઘોમાં પણ સંયમના ક્ષેત્રમાં ઉત્કટ માર્ગ અને મધ્યમ માર્ગ અપનાવાયો છે. (૫) તૃષ્ણા અને અજ્ઞાનનો ત્યાગ : બન્ને સમાનભાવે ઘોષણા કરે છે કે જીવનમાં જે વિપર્યાસ છે તે અજ્ઞાનને કારણે છે. જે આત્મા નથી તેને આત્મા માની જીવો વિવેક ગુમાવી બેસે છે અને તૃષ્ણામાં પડે છે. અને એ તૃષ્ણાવલ્લીમાંથી સમગ્ર સંસારની જાળ ઊભી થાય છે, મમત્વ અને રાગ-દ્વેષનાં જાળાં ગૂંથાય છે. અને સંસારચક્ર ફર્યા કરે છે. આ વિષચક્રના ભેદનનો એક જ ઉપાય છે કે, અજ્ઞાનને દૂર કરી વિવેકી બનવું. આથી તૃષ્ણા પર કુઠારાઘાત થશે અને સમગ્ર સંસારનું મૂળ કપાઈ જશે. આમ આટલે સુધી બન્ને એકમાર્ગી છે, પણ પછી અજ્ઞાન દૂર થઈ જે જાણવાનું છે તેમાં બન્નેનું દર્શન જુદું છે. બુદ્ધનું દર્શન ક્ષણિકવાદમાં પરિણમ્યું, જ્યારે મહાવીરનું દર્શન અનેકાંતવાદમાં. જોકે એ ભૂલવું ન જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy