SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિ ને સમાજની પારસ્પરિક પ્રભુતા ૦ ૨૩૯ બ્રહ્મશ કે બુદ્ધ, તત્ત્વજ્ઞ કે તીર્થંકર બની એ સ્થિર નિયમોનો વિરોધ કરે છે અને સમાજને નવા માર્ગે લઈ જાય છે. સમાજને નવે માર્ગે દોરવાનું સામર્થ્ય જેમાં ન હોય તે સમાજનો નેતા ન બને. વ્યવસ્થાપક બનવું અને નેતા બનવું એમાં ભેદ છે. સ્થિર થયેલી વ્યવસ્થા પ્રમાણે સમાજમાં વર્તનની જવાબદારી વ્યવસ્થાપકની હોય છે, જેવી આજના અમલદારોની છે. પણ નેતા એ વ્યવસ્થાપક નથી. એ તો ચાલુ વ્યવસ્થામાં ભંગાણ પાડીને નવી વ્યવસ્થા ઊભી કરે છે અને એ તરફ સમાજને દોરે છે. આ જ કારણે તે તીર્થંકર કે એવા બીજા નામે ઓળખાય છે. આપણે ભારતના જુદા જુદા આધ્યાત્મિક સમાજો કે ધર્મોના ઇતિહાસનો વિચાર કરીશું તો એ સત્ય સ્પષ્ટ થઈ જશે. વૈદિક ધર્મમાં એટલે કે જ્યાં સુધી યજ્ઞપ્રધાન ધર્મ થઈ રહ્યો ત્યાં સુધી તે તે અનુષ્ઠાનોનું નિયંત્રણ સામાજિક હતું. મૂળે દેવસ્તુતિરૂપ યજ્ઞનું રૂપ વ્યક્તિપ્રધાન હતું—એટલે દેવ અને સ્તોતાની વચ્ચે કોઈ હતું નહિ. પણ સ્તુતિઓએ જ્યારે યજ્ઞવ્યવસ્થાનું રૂપ ધારણ કર્યું ત્યારે તે વૈદિકધર્મ બન્યો અને વ્યક્તિએ સામાજિક નિયંત્રણ સ્વીકારવું પડ્યું. સ્થિર થયેલા નિયમો અનુસાર જ પુરોહિતને વચ્ચે રાખીને મોટા મોટા યજ્ઞો થવા લાગ્યા. આ થયો વૈદિક યજ્ઞધર્મ. વૈયક્તિક સાધના જ્યારે સામાજિક બને છે ત્યારે તે કોઈ એક ધર્મનું નામ સ્વીકારે છે અને તેમાં વ્યક્તિ ગૌણ બની જાય છે. તેના ઉપર સામાજિક બંધનો લાદવામાં આવે છે. વૈયક્તિક ભાવે સાધના કરવાનું તેનું સ્વાતંત્ર્ય મર્યાદિત બની જાય છે. તે એક ધાર્મિક સમાજનો સભ્ય બનીને તેને અનુસરતો થઈ જાય છે. ઘડાયેલા નિયમોથી બહાર જઈને તેનું કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન સંભવતું જ નથી. તે એક ધાર્મિક પરંપરાનો દાસ બની જાય છે. તેથી સ્વતંત્ર થવાનું તેનું સામર્થ્ય હણાઈ જાય છે. આમ વૈદિક યજ્ઞપ્રધાન ધર્મમાં પણ બન્યું અને તે વૈદિક યજ્ઞ-પરંપરા વૈદિક યજ્ઞધર્મમાં પરિણમી. તેમાં વ્યક્તિને અનુષ્ઠાનનું સ્વાતંત્ર્ય રહ્યું નહિ. પણ આપણે જોયું તેમ સમાજ કે વ્યક્તિનું પ્રભુત્વ કાયમી નથી. પ્રભુત્વ મેળવવાની સતત હોડ ચાલ્યા જ કરે છે અને ચાલવી જ જોઈએ. એ ન્યાયે આ યજ્ઞધર્મનો વિરોધ બ્રહ્મવાદીઓએ કર્યો. અને સમાજનાં બંધનોથી વ્યક્તિને સ્વતંત્ર બનાવી. વ્યક્તિએ પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કે ભૌતિક ઉન્નતિ માટે સ્થિર થયેલા યજ્ઞના નિયમોમાં જ શા માટે બંધાઈ રહેવું ? એનું વ્યક્તિત્વ તો એટલું વિશાળ છે, એટલું ભૂમા છે કે તેને કોઈ બંધન નડી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy