SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ મૈત્રીસાધના ૭ ૨૨૭ ‘આત્મન: પ્રતિભૂતાનિ રેષાં ન સમાપોત્' આ વિચાર નિષેધમુખી છે, પણ સાથે જ વ્યક્તિ પોતાનું સુખ ચાહે છે એટલે એમાંથી વિધિવિચાર પણ ફલિત થાય જ છે કે જો હું મારા સુખ માટે પ્રયત્ન કરતો હોઉં તો મારે બીજાનાં સુખનો પણ વિચાર કરવો જોઈએ. અને એ માટે પ્રયત્ન પણ કરવો જોઈએ. આ રીતે મૈત્રીભાવનાના બંને પક્ષો પરિપુષ્ટ થયે વ્યક્તિની મૈત્રીભાવનાનો પરિપાક થાય છે. આમ જો માણસ અંતર્મુખ થાય છે તો તેનું પર્યવસાન બહિર્મુખતામાં આવે જ છે અને જો તે ન આવે તો તેની અન્તર્મુખતા અધૂરી જ રહે. એટલે એક જ વસ્તુની બંને બાજુ છે—અંતર્મુખતા અને બહિર્મુખતા. બહિર્મુખતા એકલી હોય તો માણસ સ્વહિત સાધી શકતો નથી અને એકલી અંતર્મુખતા મનુષ્યને સ્વકેન્દ્રિત બનાવી મૂકે છે, જેમાંથી અનેક દોષો ઉદ્ભવે છે. માટે સાધકે અન્તર્મુખતા અને બહિર્મુખતાની સમતુલા જાળવવી આવશ્યક છે. એ જો જળવાય તો જ સાધકનો માર્ગ સ૨ળ બને છે. વિશ્વમૈત્રીનું પ્રથમ સોપાન સ્વમૈત્રી છે એટલે એ કેળવ્યા પછી જો આદરણીય અને પ્રીતિપાત્ર વ્યક્તિ હોય તેના પ્રત્યે મૈત્રીભાવના કેળવવી. કેટલીક વખતે મૈત્રી જો સાચી રીતે કેળવવામાં ન આવે તો તે રાગ બંધનરૂપ બની જાય છે. એટલે સ્વમૈત્રી પછી આદરણીય વ્યક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. પત્ની, બંધુ વગેરેમાં જે પ્રકારની મમતા હોય છે તેમાં રાગની વિશેષતા છે, એટલે સ્વમૈત્રી કેળવ્યા પછી જો તેમના પ્રત્યે મૈત્રીભાવના કરવામાં આવે તો એ મૈત્રી રાગમાં પરિણત થઈ જાય એવો વધારે સંભવ છે. આથી આદરણીય વ્યક્તિની હિતચિંતા કરવી એ મૈત્રીનું બીજું સોપાન છે. આમાં એ આદરણીય વ્યક્તિના ઉપદેશવચન કે ઉપકારી પ્રવૃત્તિનો વિચાર કરીને અહોભાવ વડે તેની હિતચિંતા કરવી એ સરળ થઈ પડે છે. આ મૈત્રીનું બીજું સોપાન સધાયા, પછી જ પોતાને પ્રિય ઇષ્ટ મિત્રો પ્રત્યે મૈત્રીભાવનાને વિશેષ રૂપે વિકસાવી શકાય છે. અને એમ કરતાં તેમાં રાગ વડે મૈત્રીભાવનો નહિ પણ નિઃસ્વાર્થ મૈત્રીભાવનાનો વિકાસ થાય છે. આ પછી ચોથા સોપાનમાં જેનો આપણી સાથે કોઈ પણ સંબંધ ન હોય તેવી વ્યક્તિ પ્રત્યે મૈત્રી વિકસાવવી અને છેવટે શત્રુ પ્રત્યે મૈત્રીભાવનાનો વિચાર કરવો. અન્યથા કરવા જતાં શત્રુ પ્રત્યે મૈત્રીને બદલે ક્રોધ આવી જવા સંભવ છે. એટલે ઔચિત્ય એમાં છે કે અન્યત્ર મૈત્રી સધાયા પછી જ શત્રુ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy