SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક પ્રચારનો અવસર ૦ ૨૧૯ તેટલા જ આપણે સુપ્ત અને પ્રમત્ત છીએ. એટલું જ નહિ પણ જેમનું કાર્ય સંસ્કૃતિપ્રચારનું છે તેઓ તેના પ્રચારમાં લાગી જવાને બદલે પોતાના વ્યક્તિત્વના પ્રચારમાં લાગી રહેલા છે. અને તે એટલી હદ સુધી કે તે માટે ભગવાનની અહિંસાને નેવે મૂકવી પડે તે મૂકીને પણ પોતાની અહંતા પોષવા તૈયાર છે. આ સ્થિતિ જો લાંબો વખત ટકી તો સાધુસંસ્થા પ્રત્યે જ રહ્યું સહ્યું સન્માન પણ તેઓ ગુમાવી બેસશે એમાં સંદેહ નથી. ગત મહાયુદ્ધ પછી ‘યૂએનો’ની સ્થાપના થઈ છે. અને તેવો એક વિભાગ ‘યુનેસ્કો’ છે, એ વિભાગમાં વિશ્વસંસ્કૃતિનો ઘાટ કેવો આપવો એ વિશે પરામર્શ-અધ્યયન—વિચારણા થાય છે. તે વિભાગમાં ડૉ. બુલચંદ M. A., Ph. D. જેઓ જૈન સંસ્કૃતિ સંશોધન મંડલના પ્રમુખ છે, ઉચ્ચ અધિકારીપદે પેરિસમાં નિયુક્ત છે. આપણો બધાનો સહકાર હોય—ધનિકો અને સાધુસમાજ તથા પંડિતોનોતો સહજભાવે જૈન ધર્મ અને સંસ્કૃતિનાં મન્તવ્યો એ સંસ્થા દ્વારા વિશ્વમાં પ્રચારિત કરી શકીએ. વગર પૈસે તેમનાથી જે થાય તેવું છે એ તો તેઓ કરે જ છે. તેમણે પેરિસમાં શ્રમણ સંસ્કૃતિ, બૌદ્ધ ધર્મનું ભારતમાં સ્થાન, ભગવાન મહાવીર, ગાંધીજી અને અહિંસા–એ વિષયો ઉપર પેરિસની જુદી જુદી સાંસ્કૃતિક સંસ્થાઓમાં ભાષણ આપ્યાં છે અને પ્રસંગોચિત ભગવાન મહાવીર અને જૈન ધર્મનો પરિચય આપ્યો છે. પેરિસ યુનિવર્સિટી માટે એક ફ્રેન્ચ બહેનને ‘અહિંસા' એ વિષયમાં Ph. D. થવા તૈયાર પણ કર્યાં છે. આ બધું છતાં ખરો પ્રચારનો માર્ગ બીજો જ છે. અને તે એ કે અહીંના જૈન સમાજજીવનમાં જે અહિંસા અને ક્ષમા હશે તે જેટલી અસર બીજા ઉ૫૨ ક૨શે તે ભાષણો દ્વારા નહિ થઈ શકે. આમ છતાં ગૌણ પ્રચારનો માર્ગ પણ આપણે બંધ કરવાનો નથી. આ માટે જૈન શાસ્ત્રના ઉચ્ચ અભ્યાસનું પ્રોત્સાહન આપવું એ વિશેષ અપેક્ષણીય છે. કારણ એ વિના સંસ્કૃતિના સંદેશવાહકો ઉપલબ્ધ નહિ થાય. સાધુસમાજ જો ઉચ્ચ અભ્યાસ કરવા-કરાવવાનું પોતાના માથે લઈ લે તો સોનામાં સુગંધ પણ જ્યાં સોનું જ નથી ત્યાં સુગંધની વાત જ કચાં કરવી ? એટલે આપણે યુનિવર્સિટીઓ તરફ જ આપણી નજર દોડાવવી જોઈએ. ભારતીય યુનિવર્સિટીઓનું ધ્યાન હવે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને ધર્મના અભ્યાસ તરફ જવા લાગ્યું છે. હિન્દુ અને બૌદ્ધ ધર્મના વિષયમાં અત્યાર સુધી ઘણું જ સંશોધન થયું છે. પણ જૈન સંસ્કૃતિ અને ધર્મનું ક્ષેત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy