SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાવિચાર વિરુદ્ધ ઉપયુક્તતાવાદ • ૨૦૧ અગ્રગામી એવો ભારત સ્થિતિપાલક અને રૂઢિપ્રસ્ત બની ગયો. નવી શોધ, નવો વિચાર કરવાને બદલે જૂનાની જ વ્યાખ્યા અને સમર્થન કરવા જેવી સ્થિતિસ્થાપકતાને પામ્યો. અને તેની જડતામાં ઉમેરો કર્યો અંગ્રેજી રાજ, જેણે ભારતીય જનતાને વિદેશી વિચારોથી પરાજિત કરી અને તેના પોતીકા હીરને, નવા નવા ક્ષેત્રે નવું નવું કરવાની તમન્નાને સમાપ્ત કરી દીધી અને માત્ર અંગ્રેજી ભાષામાંથી લાવીને ભણેલાઓએ અભણોને પીરસવા માંડ્યું. અને આથી સારા પરિણામો ઘણાં આવ્યાં, છતાં ભારતીય ભણેલા વિચારકોએ પોતાની સંસ્કૃતિનાં મૂળિયાં ખોઈ નાખ્યાં અને તેથી તેઓ વિખૂટા પડી ગયા. આ દૈત્યમાંથી ટાગોર કે ગાંધી જેવાએ સમગ્ર પ્રજાને જાગ્રત કરવાનો માર્ગ ગ્રહણ કર્યો પણ દીર્ઘકાલીન જડતાને ખંખેરી નાખતાં હજી ઘણી વાર લાગશે. આથી જ જે દેશની કથાઓમાં પારેવા માટે પોતાનો જાન આપી દેવા તૈયાર થનારા રાજાઓ વર્ણવાયા હતા. કીડીને પણ કષ્ટ ન પહોંચે તે અર્થે ઝેરી તુંબડી ખાઈ સહર્ષ મૃત્યુને ભેટનારા અનેક મહામાનવો જે દેશમાં પાક્યા હતા અને જે દેશમાં મહાયાનની ભાવનાનો ઉદય થયો અને જે દેશમાં મોક્ષ કરતા પણ જંતુના કષ્ટોના નિવારણને મહત્ત્વ આપવામાં આવ્યું હતું, તે જ દેશનો પ્રબુદ્ધ ગણાતો આજનો માનવી એટલો બધો સ્વાર્થી થયો છે કે તેને માનવતાના હિતાર્થે વાંદરાં કે બીજાં તેવાં પ્રાણીઓને મારવામાં કાંઈ અનુચિત જણાતું નથી અને જૈન તથા વૈષ્ણવો પણ લીવરમાંથી દવા બનાવવાના કારખાના ચલાવે છે. આ તો આપણા મહામાનવોનો વારસો ધરાવવાને આપણી નાલાયકી જ સૂચવી જાય છે. આપણા સ્વાર્થને, આપણી કમજોરીને આપણે સ્વીકારીએ અને પછી ઘવાતે હૈયે કાંઈક હિંસા કરીએ એ એક વાત છે પણ તેવી હિંસાનું પાછું સમર્થન કરીએ એ તો નરી સ્વાર્થોધતા જ છે, અને સંસ્કૃતિનો નર્યો દ્રોહ જ છે. તો સીધું બીજાની જેમ તેમ જ કેમ નથી કહી દેવાતું કે મનુષ્ય માટે જ સમગ્ર જડ-ચેતન જગતની સૃષ્ટિ છે. તેનો ઉપભોગ મનુષ્ય ફાવે તેમ કરી શકે છે અને કરવો જોઈએ. આ પ્રમાણે કહેવાતું નથી અને છતાં આવી હિંસાનું આપણે સમર્થન કરીએ તો તો આપણે નથી આપણી સંસ્કૃતિને વફાદાર કે નથી વિદેશી વિચારને. કેવળ વિચારનો ગોટાળો જ છે. - ભારત સમગ્ર વિશ્વને અહિંસાનો માર્ગ દેખાડશે એવી આશા આખું વિશ્વ રાખી બેઠું છે તે તેના એ અહિંસાના વારસાના કારણે જેને જીવંત કર્યો ગાંધીજીએ પણ તેથી આ પેઢીની જે જવાબદારી છે તે બહુ જ મોટી છે. જૂના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy