SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાવિચાર વિરુદ્ધ ઉપયુક્તતાવાદ ૧૯૫ ગાંધીજીની અહિંસામાં અને કરુણાવૃત્તિમાં માને છે તેમણે ત્યાગવી જ જોઈશે. અને સદૈવ સરકારને જાગ્રત કરવી જ જોઈશે. અન્યથા આજે તો હજી ગાંધીજીના સીધા વારસો છે ત્યારે તેમને ગાંધીજીના નામની શરમ છે, પણ જો બીજા કોઈ રાજ્યકર્તા થશે તો તેમને કશી જ એવી શરમ નડવાની નથી, એ સ્થિતિમાં પછી કરુણાવૃત્તિ અને અહિંસાને શો અવકાશ રહેશે ? એટલે આ બાબતમાં સરકારને કાને સતત વિરોધી સૂરો પ્રબળપણે અથડાવા જ જોઈએ. તો જ તેની જાગૃતિ ટકી રહેશે. અન્યથા સરકારમાં આ બાબતમાં ઢીલું વલણ રહે તે સ્વાભાવિક છે. અહિંસાનો વિકાસ માનવમનમાં કેવળ કરુણાવૃત્તિથી થાય છે એમ પણ નથી, પણ કાયદાથી પણ થાય છે. ગુજરાતમાં જે અહિંસાનો વિકાસ દેખાય છે તેને કેવળ કરુણાવૃત્તિ જ નહિ કહી શકાય. તેમાં મધ્યકાલીન રાજસત્તાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. રાજા કુમારપાળ જેવાએ જ્યારે અમારી ઘોષ કર્યો હશે, અગર મુગલ બાદશાહો અકબર જહાંગીર જેવાએ અમુક તિથિમાં હિંસાનિષેધનાં ફરમાનો કાઢ્યા હશે ત્યારે તેને શું બધી પ્રજાએ રાજી થઈને વધાવી લીધા હશે ? એવું કશું જ માનવાને કારણ નથી. પણ તે ઘોષની પાછળની દંડશક્તિને કારણે એક વાર હિંસા બંધ થઈ અને ત્યાર પછી ક્રમે કરી કરુણાવૃત્તિના જાગરણથી ગુજરાતના લોકોમાં અહિંસાવૃત્તિ દઢ થઈ તે જ પ્રમાણે પ્રાચીન કાળમાં અશોક વિશે પણ કહી શકાય. તેણે ધર્મશાસનોમાં માંસાહાર લોકો ક્રમે ક્રમે છોડે તે આદેશ આપ્યો છે અને પોતે પણ ઓછો કર્યો છે, એવી સૂચના છે. તેમાં તેના એટલે કે એક રાજાના શાસનની મહત્તાને કારણે જે માંસાહાર ઓછો થયો હશે તે શું માત્ર રાજયસત્તા વિનાના પુરુષના ઉપદેશથી થાય એમ છે? આપણો પ્રત્યક્ષ અનુભવ છે કે ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણ માટે ધરખમ પ્રયત્ન કર્યો છતાં જયારે કાયદો તેની સહાયમાં આવ્યો ત્યારે અસ્પૃશ્યતાનિવારણને જે ગતિ મળી છે તે માત્ર ઉપદેશથી મળી નથી. બીજાં બધાં પરિબળો કાયદાને સહાયક બને પણ કાયદાની શક્તિ એ આમ જનતા માટે સૌથી ચડિયાતી છે અને પ્રજામાં જે વસ્તુને સ્થિર કરવી હોય તેમાં ઉપદેશ કરતા કાયદો જ બળવાન બને છે. સામાજિક સુધારાઓ વિશે પણ કાયદાથી જે થયું છે તે શું સાધારણ જનતાના મતને આધારે થયું છે કે અમુક પ્રભાવશાળી પુરુષોની દૃઢપ્રતીતિને કાયદાનું રૂપ મળ્યું થયું છે ? એટલે વસ્તુતઃ આપણને જો એમ લાગતું હોય કે કરુણાવૃત્તિ એ જીવનમાં એક આવશ્યક વૃત્તિ હોવી જોઈએ તો પછી તદનુરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy