SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ • માથુરી , સુધારો વધારો કરે એ જૈન સંઘને તદ્દન અસહ્ય જ થઈ પડે છે. સિદ્ધસેન વગેરેએ પોતાના સ્વતંત્ર વિચારો રજૂ કર્યા તે બદલ તેમને કાંઈ ઓછું સહન નથી કરવું પડ્યું, અત્યારનો નવીન માનસ ધરાવતો જૈન, સ્વતંત્ર વિચારક તરીકે સિદ્ધસેનને ભલે ગમે તેટલું મહત્ત્વ આપી ગૌરવ લે, પણ સિદ્ધસેન જયારે જીવતા ત્યારે તેમનું માન કેટલું થયું છે તે પરથી જ જૈન સમાજમાં વિચાર સ્વાતંત્ર્યને કેટલી હદે અવકાશ છે એ નક્કી કરવું જોઈએ. વળી આજની સંઘ બહારની પ્રવૃત્તિ જૈનો કેટલા વિચાર સહિષ્ણુ છે એનું માપ કાઢવા બસ નથી શું ? જૈનોની પ્રકૃતિ સદા શ્રદ્ધાળુ રહી છે. તેથી નવા વિચાર માટે તેમને કદી બહુ આદર થયો હોય એની સાક્ષી ઇતિહાસમાંથી તો શોધી જડે તેમ નથી. બૌદ્ધ આચાર્યોએ બુદ્ધના ઉપદેશને સામે રાખીને જે પ્રસ્થાનભેદ ઉપજાવી કાઢ્યા છે તે બે ઘડી આજના ઉદ્દામ વિચારકને પણ આશ્ચર્યમુગ્ધ કરે તેવા છે. તે બુદ્ધના જ “મારા વચનની પૂરી પરીક્ષા કર્યા પછી જ તેને સ્વીકારજો” એ આદેશને આભારી છે. જૈનાચાર્યો સામે તો સર્વજ્ઞ બેઠા હતા અને પોતે પરમ શ્રદ્ધાળુ થઈને સર્વજ્ઞની સામે ઉપસ્થિત હતા. જૈનોના પ્રસ્થાનભેદ જો કહેવા હોય તો–સાધુ કપડાં પહેરી શકે કે નહિ, સંવત્સરી ચોથની કે પાંચમની, એવા બાલીશ લાગતા મતભેદો સિવાય, બીજા મૌલિક ચિંતનવિષયક વસ્તુમાં બહુ થોડા છે. જે કાંઈ ગચ્છના કે પરંપરાના મતભેદો છે, તેમાં એવું કોઈ તત્ત્વ નથી કે તેના પ્રસ્થાપક પોતાની બુદ્ધિનો ચમત્કાર એ મતભેદના મુદ્દામાં બતાવ્યો હોય. એટલે જૈન ધર્મને વિશ્વધર્મ બનાવવો હોય તો તેના અનુયાયીઓએ પોતે ખૂબ ઉદાર થવું જોઈશે, વિચાર-સ્વાતંત્ર્યની છૂટ આપવી પડશે. પરંતુ જયારે તેઓ કરતાં શીખ્યા હશે ત્યારે તેઓ રૂઢ જૈન રહ્યા હશે કે કેમ તે આજે કહી શકાય નહિ. વિશ્વધર્મમાં એટલી તાકાત હોવી જોઈએ કે ગમે તેવા ઉદ્દામ વિચારકને પણ એક વાર પોતામાં સમાવી તો છે જ અને પછી તેના વિચારનો સમન્વય કરે. જે ધર્મમાં એ જીવંત સમન્વય શક્તિ ન હોય તે વિશ્વધર્મ કેવી રીતે થઈ શકે મને તો એ જ સમજાતું નથી. અહીં પ્રશ્ન થશે કે જૈનોનો અનેકાંતવાદ એ સમન્વયની મહાશક્તિ નથી તો બીજું શું છે ? અનેકાંતવાદનો જન્મ સમન્વય માટે છે, તો પછી જૈન ધર્મ વિશ્વધર્મ કેમ ન થઈ શકે? અનેકાંતવાદ એ સમન્વયની અભુત શક્તિ છે એ કબૂલ છે. જૈનો કહે છે કે અનેકાંતવાદ તો અમારો જ છે, એ પણ થોઢ વાર કબૂલ કરીએ. પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy