SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ • માથરી કે પરસ્પર સંહાર કરનારા પોતાને પરમ ધાર્મિક માની એ સંહારકાર્યમાં જોડાયા અને એ સંહારને પણ ધર્મના નામે અપરિહાર્ય માન્યો. ધર્મનું આ અધ:પતન, ધર્મને નામે અધાર્મિકોનું આ તાંડવ જે વખતે પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યારે ધર્મોદ્ધાર આવશ્યક થઈ પડ્યો. અને ઠીક તે જ વખતે અનેક કંસો વચ્ચે વિજ્ઞાન રૂપી શ્રીકૃષ્ણને આવવું પડ્યું. તેનો પણ સંહાર કરવાના અનેક પ્રયત્નો થયા પણ આખરે વિજ્ઞાન વિજયી નિવડ્યું છે. વિજ્ઞાન એ વિવેકનું શાસ્ત્ર છે જયારે ધર્મના તો મૂળમાં જ એ વિવેક રહેલો છે એટલે ખરી રીતે જોઈએ તો આ પરાજય ધર્મને કાંઈ સાલે એમ નથી. જેમ કોઈ સ્ત્રી પોતાના ગળામાં જ હાર હોય છતાં તે ભૂલી જઈ તેની શોધમાં હો હા મચાવે છે અને અચાનક દર્પણ સામે ઉભતાં જ તેના હારના પ્રત્યક્ષ દર્શન થતાં જ તેની ખુશીનો પાર નથી રહેતો. ધર્મની બાબતમાં પણ ઠીક તેમ જ થયું છે, વિજ્ઞાને આવીને એ દર્પણનું જ કામ કર્યું છે. ધર્મે જે વિવેક ગુમાવ્યો હતો તે તેણે હવે પ્રાપ્ત કર્યો છે. તેથી સાચા ધાર્મિકોએ તો વિજ્ઞાનના વિજયથી ખુશ જ થવું જોઈએ. ધર્મમાં ઘૂસી ગયેલી જડતા, શિથિલતા, અંધપરંપરા એ સૌ અનિષ્ટ તત્ત્વોનો વિજ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશિત થતાં જ એક સપાટે નાશ થવા લાગ્યો છે. ધર્મ તેના શુદ્ધ સ્વરૂપે પ્રગટે એવો વખત નજીક આવી લાગ્યો છે. આ પરિસ્થિતિ પેદા કરવાનું માન વિજ્ઞાનને જ છે. જો આમ છે તો વિજ્ઞાનના વિજયથી પરાજયનો આનંદ જ સાચા ધાર્મિકોને મળવો જોઈએ. એક બ્રાહ્મણ પોતે ગમે તેવો કુકર્મી જ હોય પણ ધર્મ શાસ્ત્ર તેને શીખવ્યું કે બ્રાહ્મણ તો બ્રહ્મા જગતુ સૃષ્ટાના મુખમાંથી નીકળ્યા છે. તેના સ્વાર્થે તેને શીખવ્યું કે મુખમાંથી નીકળ્યા માટે બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ, પછી તે સ્વાર્થ અને ધર્મનું એવું મિશ્રણ થયું કે કહેવાતા શુદ્રોને સ્પર્શ ન કરવો એ પણ એક ધર્મકૃત્ય મનાયું. સ્પેશ્યાસ્પૃશ્ય અને ધર્માધર્મનો શો સંબંધ છે એ કાંઈ વિચારવાની જરૂર રહી જ નહિ. માનવ માનવ વચ્ચેનો સંબંધ કેવો મીઠો હોવો જોઈએ એ શીખવવાનું કામ જાણે ધર્મનું હોય જ નહિ, ઊલટું માનવ માનવમાં પણ જેટલા બને તેટલા ભેદભાવનું પોષણ કરવું, પરસ્પરના કલહનું અત્યંત પોષણ કરવું, એવા માનવ જાતિના નાશક ભાવોનો પ્રચાર કરવો એ એક જ ધર્મનો મુખ્ય ઉદ્દેશ થઈ પડ્યો. જૈન ધર્મે શીખવ્યું કે આંતરિક અને બાહ્ય ત્યાગ અને તપસ્યા દ્વારા જીવન વિતાવવું એ ધર્મ છે. પરિણામે સાધુજીવનની તેવા ત્યાગ અને તપસ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy