SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. આપણે પામર ? ભગવાન મહાવીરે તો પોકારી પોકારીને ચોખ્ખું સંભળાવી દીધું છે કે તમારા કર્મ તમારે પોતાને જ ખપાવવા પડશે હું તો માત્ર માર્ગદર્શક છું. તમારા કર્મનો ક્ષય કરવાની શક્તિ મારામાં નથી, એ તો તમારામાં જ છે. હું તો માત્ર તમારામાં રહેલી એ શક્તિનું તમને ભાન કરાવું છું. વળી તમને તમારી શક્તિનું ભાન કરાવું છું તેમાં તમારા પર ઉપકાર કરવાની દૃષ્ટિ મુખ્ય નથી પરંતુ તેમ કરી મારા પોતાના કર્મનો ક્ષય કરવો એ જ મારે માટે પ્રધાન લક્ષ્ય છે. મહાવીરે આવી રીતે સતત ઉપદેશ કરીને આપણી પામરતા, આપણી પરાશ્રયની વૃત્તિ ટાળવાનો કઠોર પ્રયત્ન કર્યો હતો પરંતુ સાધારણ સમૂહનું માનસ જ કાંઈક એવું હોય છે કે તે કડવા સત્યો જીરવી શકતું નથી. મહાવીરના એ વચનો પર કદાચ શ્રદ્ધા ચોટે ખરી પરંતુ એ શ્રદ્ધા મુજબ વર્તનની વાત આવે ત્યાં નિત્યપરાશ્રયીઓના ટાંટિયા ધ્રુજવા માંડે છે અને એ પામરતા તેના નગ્ન સ્વરૂપમાં પોતાનો નાચ શરૂ કરે ત્યારે લોકો તેમાં અંજાઈ જઈ ફરી પાછા એ પામરતાને આધીન બને છે. આ આટલેથી જ પૂરું નથી થતું. દયનીય સ્થિતિ તો એ છે કે જેણે જિંદગીભર સ્વાશ્રયી બનવાનો ઉપદેશ આપ્યો તેની જ પાસે લોકો આશ્રય માટે ભીખ માગવા જાય છે. પરંતુ એ કઠોર તપસ્વી ફરી એક વાર તેમને આશ્રય આપવાને બદલે સ્વાશ્રયી બનવાનું કહે છે. ગૌતમે ભગવાન મહાવીરની જિંદગીપર્યત સેવા કરી. મહાવીરના નિર્વાણનો સમય નજીક આવ્યો. મહાવીરના કેટલાય શિષ્યો કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થઈ ગયા, પરંતુ ગૌતમને હજુ સુધી કેવલજ્ઞાન ન થયું. ગૌતમ ગભરાયા પરંતુ મહાવીરમાં એ શક્તિ ન હતી કે તેને કેવલજ્ઞાન આપી દે. તેમણે તો તેમને પણ સંભળાવી દીધું કે ગૌતમ! તે મારી સેવા કરી એ સાચું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy