SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાંત - ૧૨૩ ગીતા એ કર્મમાર્ગનો ગ્રંથ છે–એમ તિલકે અનેક વાર કહ્યું. ગાંધીજીએ તે ગીતાના કર્મમાર્ગને જીવનમાં ઉતારીને પ્રજાને કર્મમાર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો. પણ આમપ્રજા તરફ દૃષ્ટિ નાખો તો જણાશે કે પ્રજામાં કર્મયોગ નહિ પણ ભાગ્યયોગનું જ પ્રાબલ્ય છે. પરિણામે દારિત્ર્યનું સામ્રાજ્ય પ્રવર્તે છે. અકાળે અને અસ્થાને વૈરાગ્યનો ઉપદેશ અપાય છે. મા-બાપ એ શરણ નથી, સૌ સગાં સ્વાર્થી છે, માટે છોડો સંસાર, વૈરાગી બનો–આવી નિષ્ક્રિયતાનો ઉપદેશ ભારતીય બાળકને ગળથુથીમાંથી જ મળે છે. એટલે એ નથી રહેતો ઘરનો કે નથી રહેતો ઘાટનો. વૈરાગી બની ત્યાગી બની નવો સંસાર શરૂ કરે છે. પરદેશમાં મેં જોયું કે નાનપણથી જ જવાબદારીનું ભાન બાળકને અપાય છે. એ પણ ઉંમરલાયક થયે ઘર છોડે છે અને પોતાનો નવો સંસાર શરૂ કરે છે. બન્નેમાં ગૃહત્યાગ સરખો છે, પણ એકમાં જવાબદારીના ભાન સાથે, જયારે બીજામાં બધી જ જવાબદારીથી મુક્ત થઈને. એકમાં પુરુષાર્થનું બળ દેખાય છે જ્યારે બીજામાં બીજા ઉપર નભવાની વૃત્તિ પોષાય છે. સંસારત્યાગની વાત કર્યા પછી પણ અને ઘર છોડ્યા પછી પણ જે અર્થે સંસારત્યાગ કર્યો હોય તે માટેનો પણ પુરુષાર્થ જોવા મળતો નથી. દેખાય છે તો મોટે ભાગે પ્રમાદ. આ છે આપણી આધ્યાત્મિકતા. પરદેશમાં આવી આધ્યાત્મિકતા કદાચ ના હોય, પરંતુ જીવનમાં સતત પુરુષાર્થ તો દેખાય છે. પાદરી થવા પણ તે માટેની પૂરી યોગ્યતા અધ્યયનની અને સંસ્કારની પ્રાપ્તિ કરવી અનિવાર્ય છે. તે વિના સંસારત્યાગી થઈ શકાતું નથી. ભ. મહાવીરે અજ્ઞાનમાર્ગનો વિરોધ કર્યો. પરંતુ આજે આપણે અજ્ઞાનમાર્ગનું જ અનુસરણ કરી રહ્યા છીએ. ધર્મચિંતાની ઠેકેદારી આપણે સાધુવર્ગને સોંપી છે અને આપણી બુદ્ધિનાં દ્વાર બંધ કરી દીધાં છે, મગજને તાળું લગાવી દીધું છે. આપણે સાયન્સ અને ટેકનોલોજી સમજી શકીએ, પણ ધર્મની વાત આવે ત્યાં સાદી સમજને પણ કોરે મૂકી દેવા તૈયાર થઈએ છીએ અને એમાં તો આપણે કાંઈ જ ન સમજીએ એમ માનીને ચાલીએ છીએ. પરિણામે આજનાં જે નવાં નવાં અનુષ્ઠાનો જૈન સાધુઓએ પ્રચલિત કર્યા છે તેમાં જરા પણ ઊંડા ઊતરવાનો વિચાર ભાગ્યે જ કોઈને આવે છે. આજે એવાં પણ અનુષ્ઠાનો થઈ રહ્યાં છે જેમાં સંસારની બધી સ્ત્રીઓને વશ કરવાના મંત્રોનો પ્રયોગ થઈ રહ્યો છે. આવી સાદી વાત જ શું આપણે ધારીએ તો ન સમજી શકીએ ? એ મંત્ર સાંભળી આપણે શું અર્થ ન સમજી શકીએ? આ કેવળ અજ્ઞાનવાદનો જ આશ્રય છે, બુદ્ધિવાદ કે કર્મવાદનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy