SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ નિવૃત્તિના ચક્રનું ભેદન ૦ ૧૧૭ પ્રારંભમાં એકાંત નિવૃત્તિનો ઉપદેશ આપ્યો. સર્વ સંબંધોનો સર્વથા ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો. પણ તેમનું જ જીવન અને સમગ્ર ઉપદેશ જોઈએ તો એ લાગ્યા વિના નહીં રહે કે તેઓ પણ એકાંત નિવૃત્તિને નભાવી શકયા નથી. બૌદ્ધ ધર્મે તો મહાયાનમાં રૂપાન્તર પામીને નિવૃત્તિ-પ્રવૃત્તિનો સુંદર સમન્વય કર્યો. તેણે તો સ્વીકાર્યું કે સર્વ પ્રાણીની મુક્તિ વિના એક વ્યક્તિની પણ મુક્તિ સંભવી શકે જ નહિ. એટલે જનહિતનાં કાર્યોનું સમર્થન મહાયાનમાં કરવામાં આવ્યું. પણ જૈન ધર્મના મૂળમાં જ કાંઈક એવી ભાવનાનો પ્રચાર કરવામાં આવ્યો કે જેથી પ્રવૃત્તિમાં અનિવાર્યપણે તણાયા છતાં ફરી ફરી નિવૃત્તિએકાંત નિવૃત્તિ તરફ જ ભાર આપી જૈન ધર્મની શુદ્ધિ કરવામાં આવી છે. સમગ્ર ઇતિહાસનું વિહંગાવલોકન કરતાં જણાશે કે ભગવાન મહાવીરે સર્વ સંગનો ત્યાગ કરવા પ્રબલ પ્રયત્ન કર્યો. એકાંત નિવૃત્તિનો આગ્રહ રાખવામાંથી એ પણ ફલિત થાય છે કે બીજાનો સંબંધ સર્વથા છૂટી જવો જોઈએ પણ ભગવાનના જ જીવનથી આપણે એ સિદ્ધ કરી શકીએ છીએ કે નિવૃત્તિના એકાંત આગ્રહી છતાં તેમને પણ નમતું મૂકવું પડ્યું છે—બીજાના ઘરમાં રહેવું પણ પડ્યું છે, બીજાનું અન્ન ખાવું પડ્યું છે—તેઓ એટલું અવશ્ય કરી શક્યા કે ઘણા લાંબા ઉપવાસ કર્યા પણ સર્વથા અન્ન ત્યાગ ન કરી શક્યા. પણ એકાંત નિવૃત્તિના આગ્રહી ભક્તોને લાગ્યું કે એ બંધન પણ છૂટવું જ જોઈએ. એટલે જ આપણે જોઈએ છીએ કે દિગંબર સંપ્રદાયે ભગવાનની કેવલાવસ્થામાં આહાર તેમણે લીધો જ નહીં એમ પ્રતિપાદન કરવા માડ્યું. એકાંત નિવૃત્તિ માનનારે એ માન્યા સિવાય ચાલે તેમ હતું જ નહીં. તે જ પ્રકારે ભગવાને જે ઉપદેશ આપ્યો તેમની એ પ્રવૃત્તિ પણ એકાંતનિવૃત્તિની કલ્પના સાથે સંગત નથી. એટલે આપણે જોઈએ છીએ કે શ્વેતામ્બરોએ તો તેને કર્મના ફળ ભોગ તરીકે વર્ણવી, જયારે દિગંબરોએ ત્યાં જ ન અટકતાં કહ્યું કે તેમણે ઉપદેશ આપ્યો જ નથી, એ તે દિવ્ય ધ્વનિ છે. એ વાણી સ્વતઃ ઝરે છે. જે આચાર્યો નિવૃત્તિની આવી ઝીણવટમાં ઊતર્યા તેમણે પણ બીજી તરફ પ્રવૃત્તિનો આડંબર એટલો બધો વધારી મૂક્યો છે કે તેમા બીચારી નિવૃત્તિ અટવાઈ જ ગઈ. ભગવાને તીર્થ સ્થાપ્યું, શાસન જમાવ્યું. દેવોનાં ટોળેટોળાં આવી તેમના સમવસરણની રચના કરવા લગ્યા અને છતાં ભગવાને તેમને મના પણ ન કરી. મોટાં મોટાં ચૈત્યો અને દેવાલયો બંધાયાં, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy