SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ નિવૃત્તિના ચક્રનું ભેદન ૦ ૧૧૫ છે? એનું રહસ્ય આપણે જોઈએ તો જણાશે કે ભગવાન સમાજ છોડીને ગયા કે પણ તે પાછા સમાજ વચ્ચે આવીને બેઠા તે માટે જ. આથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ધર્મ એ સામાજિક છે અને હોવો જોઈએ. વ્યક્તિગત ધર્મ—જેથી માત્ર વ્યક્તિને જ લાભ થાય તેને ધર્મનું મોટું નામ આપી શકાય નહીં. તેને તો સ્વાર્થસિદ્ધિનું નામ આપી શકાય. પણ સ્વ જ જ્યાં સામાજિક હોય ત્યાં એને સ્વાર્થસિદ્ધિ પણ કહી શકાય કે કેમ તેમાં પણ શંકા છે. સમાજમાં રહેલાનો ખરો સ્વાર્થ જ એ હોય છે કે સ્વ-વ્યક્તિત્વ સાથે તેના જે બીજા સ્વજનો છે—સમાજ છે તેનો અર્થ પણ સિદ્ધ થવો જોઈએ. જો આમ ન બને તો સ્વાર્થસિદ્ધિ પણ પૂર્ણતાને ન પામે, એટલે સ્વાર્થસિદ્ધિ માટે પણ ધર્મ એ સામાજિક હોવો આવશ્યક છે. અને ખરી રીતે વ્યક્તિગત ધર્મને ધર્મનું નામ આપી શકાય જ નહીં. મનુષ્યની સાધનાને ધર્મ એવું નામ અપાય છે એ સાધના, પણ જો સમાજવિરોધી હોય તો તેને પણ ધર્મ કેમ કહી શકાય ? ધર્મ જો વ્યક્તિગત જ હોત, તેને સમાજ સાથે કશી લેવાદેવા ન હોત તો ધાર્મિક સમાજો બન્યા ન હોત, ધાર્મિક સંપ્રદાયો બન્યા ન હોત, આ હિન્દુ, આ બૌદ્ધ, આ જૈન એવા ભેદો પડ્યા ન હોત, ધર્મ જો સામાજિક ન હોત તો પજુસણ વર્ષમાં અમુક જ દિવસે આવે, આયંબિલની ઓળી વર્ષમાં અમુક જ દિવસોમાં આવે એવું કશું જ ન હોત. જેને જ્યારે ફાવે ત્યારે ઊજવી લેત. પણ તેમ બન્યું નથી, બનતું નથી. હરેક ધર્મોના તહેવારો નિશ્ચિત દિવસે જ થાય છે. પર્વોના દિવસો નિશ્ચિત જ છે. તે બતાવે છે કે ધર્મ એ સામાજિક છે. આધ્યાત્મિક ધર્મવાળાને વળી દિવસનું શું મહત્ત્વ, કાળ-ચોડિયાં એ બધાંનું જ શું મહત્ત્વ ? છતાં એ બધુ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે તે સિદ્ધ કરે છે કે ધર્મ એ સામાજિક છે, માત્ર વ્યક્તિગત નથી. આ પ્રમાણે જો આપણે સ્વીકારીએ કે ધર્મ એ સામાજિક છે તો તેના પ્રકાશમાં હવે એ જોવું આવશ્યક છે કે ધર્મમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ. ઉ૫ર કહેવામાં આવ્યું છે કે પ્રાણીની એવી એક સ્થિતિ છે—— અવસ્થા છે જે તેના હિતમાં નથી. અને તે અવસ્થામાંથી તેનો જે ઉદ્ધાર કરે તે ધર્મ. હવે એ સ્થિતિ કે અવસ્થાનું જ વિવરણ કરીએ તો ધર્મની વ્યાખ્યા સ્પષ્ટ થઈ જશે. બધા ધર્મોએ તૃષ્ણાને સંસારના મૂળમાં કહી છે. એટલે કે તૃષ્ણા-લોભપરિગ્રહ એ જ સર્વપાપનું મૂળ છે. એ તૃષ્ણાના પણ મૂળમાં મિથ્યાત્વ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy