SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને જીવન ૦ ૯૭ ભક્તિમાર્ગે આદર્યો. આ પ્રકારનો ભક્તિમાર્ગ એ ગીતાનો ભક્તિમાર્ગ છે, જેમાં સર્વ કોઈ માટે ધર્મનાં દ્વારા–આચારમાર્ગનાં દ્વાર–ખુલ્લાં કરી દેવામાં આવ્યાં છે. પણ પાછું એ દ્વારો બંધ કરી દેવાનું પાપ એ જ ભક્તિયોગના મહાન ગ્રંથના મહાન ટીકાકારોએ કર્યું છે તે આપણા ભારતીય જીવનમાં દર્શન ગમે તેવું હોય પણ જીવન તો વર્ણવાદને અનુસરીને જ ચાલવા ટેવાયેલું છે એ વાતને પુનઃ સિદ્ધ કરી જાય છે. મહાત્મા ગાંધીજીએ એ જ ગીતાને પોતાનો જીવનગ્રંથ બનાવી ભારતીય જીવનમાંથી ઈશ્વરોપાસના દ્વારા એ વર્ણભેદને દૂર કરવા જે જહેમત ઉઠાવી છે તે તો આપણી સામેની જ ઘટના છે, પણ તેમના જ અનુયાયીઓએ વર્ણવાદમાં અમે નથી માનતા એમ કહેવા છતાં નિર્વાચનક્ષેત્રે વિજય પ્રાપ્ત કરવા અને સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં ટકાવી રાખવા એ જ રાક્ષસનો આશ્રય કેવી રીતે લીધો છે એ તો વળી તાજી જ ઘટના છે. અને હજી આવતી ચૂંટણીમાં આ જ વસ્તુને વધારે સિદ્ધ તેઓ કરવાના છે. એટલે આપણી મૂળ રોગ દર્શન અનુસાર જીવન નથી એ છે–જીવન અને દર્શનમાં વિસંગતિ છે એ જ છે–અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી એ દર્શનમાં આપણે ગમે એટલી ઊંચી વાતો કરીએ પણ જીવન તો તેને અનુસરીને નહિ પણ તેથી વિરુદ્ધ જ ચાલે છે અને ચાલવાનું છે. પ્રબુદ્ધ જીવન ૧૯૬૧ એપ્રિલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy