SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને જીવન • ૯૫ કોઈની પણ મધ્યસ્થી વિના સ્વયં કરવાની છે એવી માન્યતા દઢ હતી, આંતર-બાહ્ય ત્યાગરૂપ તપસ્યા એ જ ક્રિયા હતી અને તે દ્વારા ક્લેશ દૂર થઈ આત્મા કે ચિત્તને વિશુદ્ધ સ્વરૂપે અર્થાત્ નિર્મલ પ્રજ્ઞારૂપે પ્રકટ કરવું એ જ ધ્યેય હતું. આમ તેમની આરાધના એ જ્ઞાનયજ્ઞ કહી શકાય. પણ ભારતીય સમાજની વિશાળતા અને આ શ્રમણોનો પ્રભાવ સમાજમાં અલ્પકાલીન અને અલ્પ; તેથી અંતે સમાજજીવનમાં આ બન્ને ધર્મો ધરમૂળનો ફેરફાર કરાવી શક્યા નહિ. બૌદ્ધ ધર્મને તો ભારત બહાર જઈ આશ્રય શોધવો પડ્યો, જયારે જૈનોએ જાતિભેદને સમાજજીવનમાં આશ્રય આપી પોતાનું જીવન અહીં ટકાવી રાખ્યું. આમ ભારતીય જીવનમાં ક્રિયાયજ્ઞને સ્થાને જ્ઞાનયજ્ઞ આવ્યા છતાં દર્શન અને જીવનની વિસંગતતા ચાલુ જ રહી, અને વિચારકો એ વિસંગતતાનું નિવારણ કરવા મથતા જ રહ્યા છે. અને એને જ પરિણામે ભારતીય જીવનમાં ભક્તિયોગ કે ભક્તિયજ્ઞનું માહાભ્ય વધવા પામ્યું છે. તે વિશે હવે આપણે વિચારીએ. ભક્તિયજ્ઞ - ભક્તિનાં મૂળ તો વેદકાળ જેટલાં જૂનાં કહી શકાય. કારણ, તેમાં પણ દેવોની ઉપાસનાને સ્થાન છે જ; છતાં પણ તેને ભક્તિયોગ કે ભક્તિયજ્ઞ ન કહી શકાય. કારણ જેને આપણે ભક્તિયજ્ઞને નામે ઓળખીએ છીએ તે તેના પરિનિષ્ઠિત સ્વરૂપમાં અને નહિ કે તેના પ્રારંભિક સ્વરૂપમાં, અને એ જ કારણે એકને કર્મકાંડ અને બીજાને ભક્તિ એવાં જુદાં જુદાં નામો અપાયાં છે. કર્મકાંડમાં જે દેવોની ઉપાસના હતી તેના બદલામાં કાંઈક મળે એવી વાંચ્છા સાથે હતી એટલે કે તે એક લેવડ-દેવડના રૂપમાં હતી. આથી જ એ કર્મકાંડ કે યજ્ઞને નામે પ્રસિદ્ધ થઈ. પણ જેને આપણે ભક્ત કહીએ છીએ તેમાં ઉપાસકને કોઈ ભૌતિક લાભની આકાંક્ષા નથી. માત્ર પોતાના ઉપાસ્યના સાંનિધ્યમાં રહેવાની તાલાવેલી છે અને એ સાંનિધ્ય માત્ર સાંનિધ્ય રહે અથવા એકતામાં પરિણમે–આ પ્રકારની ભક્તિ–એ વૈદિક યજ્ઞ કરતાં જુદા જ પ્રકારની છે એમ માનવું જ રહ્યું. ભારતીય જીવનમાં અને દર્શનમાં જે વિસંગતિને કર્મયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ નિવારી નહિ શક્યા તેને નિવારવાનો પ્રબળ પ્રયત્ન આ ભક્તિયજ્ઞ કર્યો. અને ભક્તિમાર્ગની ધારા પાતળી પણ વેદકાળથી ચાલી આવતી હતી અને તેમાં વિભિન્ન કાળ અને દેશની વિવિધ વિચારધારાઓને લઈને જે અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy