SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને જીવન ૦ ૮૯ તો કોઈ જુદો જ છે ? આ પ્રશ્નનો વિચાર કરતાં પહેલાં મોક્ષનું સ્વરૂપ જો સમજી લઈએ તો તેના કારણની ચર્ચા સરળ થઈ પડશે. મોક્ષ શબ્દનો સીધો અર્થ છે છુટકારો. એટલે કે બંધનોથી છુટકારો એ જ મોક્ષ છે. એ તો સર્વસંમત છે કે આત્મા પોતે વિજાતીય તત્ત્વના બંધનમાં સપડાયેલ છે. એ વિજાતીય તત્ત્વને દાર્શનિકો સંસ્કાર, અવિઘા, અજ્ઞાન, વાસના, કર્મ, જડ, સંસાર—એવાં વિવિધ નામો આપે છે. એ જે હોય તે. પણ સારાંશ એટલો જ છે કે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે, તેને કોઈ પણ પ્રકારનું બંધન ન રહે એ આત્માનો મોક્ષ છે. સ્કૂલ ભાષામાં કહેવું હોય તો આ મારું અને આ મારું નહિ—મારામાં રાગ અને જે મારું નથી તેમાં દ્વેષ——આમ આત્મા પોતાના આ જ્ઞાનને કારણે રાગદ્વેષ કરે છે. એ જ બંધન છે. એ બંધનથી છૂટે તે જ મોક્ષ છે. રાગદ્વેષ એ અજ્ઞાનને કારણે થાય છે અને તે જ બંધન છે—આટલી વાત તો સર્વદર્શનસંમત છે. એટલે એ પણ સર્વસંમત છે કે એ બંધનનો નાશ થવાથી મોક્ષ થાય. કોઈ પણ દર્શનથી મોક્ષ આટલું નક્કી થયા પછી હવે આપણે મૂળ બે પ્રશ્નોમાંથી પ્રથમનો વિચાર કરીએ કે તત્ત્વજ્ઞાનમાં વિરોધ છતાં કોઈ પણ એક દર્શનને આશ્રયે મોક્ષની સંભાવના છે કે નહિ ? ભારતીય દર્શનના તત્ત્વજ્ઞાનમાં આપણને પરસ્પર વિરોધ જણાય છે, પણ એ વિરોધ તાત્ત્વિક રીતે નથી, પણ માત્ર સાધકની ભૂમિકાભેદોને કારણે તત્ત્વનિરૂપણની પ્રક્રિયાનો ભેદ છે—આવો એક ખુલાસો ભારતીય દાર્શનિકો કરે છે, ખાસ કરી અદ્વૈતવાદને માનનારા દાર્શનિકો. આ ભૂમિકાભેદને આશ્રયે તત્ત્વનિરૂપણની પ્રક્રિયામાં ભેદ પડ્યો છે તેથી તે દર્શનોમાં પરસ્પર વિરોધ ન માનવો જોઈએ—એમ તેઓ પ્રતિપાદન કરે છે. આ એક ખુલાસો થયો. પણ બીજા દાર્શનિકો વેદાંતીઓના આ સમન્વયને સ્વીકારતા નથી એટલે મૂળ આપણો પ્રશ્ન કાયમ જ રહે છે. એટલે તેનું કોઈ બીજું જ સમાધાન પ્રસ્તુતમાં શોધવું જોઈએ. અને તે એ કે બધા જ દાર્શનિકોને આત્મ અનાત્મવિવેક પોતપોતાના તત્ત્વજ્ઞાનની પ્રક્રિયાનો આશ્રય લઈને કરાવવો ઇષ્ટ છે. તત્ત્વજ્ઞાનમાં તમે માત્ર એક જ આત્મા કે બ્રહ્મ માનો કે અનેક આત્મા અને તેથી ભિન્ન એક કે અનેક પદાર્થો માનો, પણ, એક વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy